સંબંધિત સમાચાર
- HBD Sachin Tendulkar: જ્યારે સચિનનુ કરિયર ખતમ થવાની અણી પર હતુ, સૌથી મહાન ખેલાડીના કમબેકની સ્ટોરી
- Sushila Meena - કોણ છે એ સુશીલા મીણા જેની બોલિંગ એક્શનથી પ્રભાવિત થયા સચિન તેન્દુલકર ? શેયર કર્યો વીડિયો
- અઢળક કમાણી કરનાર વિરાટ કોહલીએ ભર્યો કરોડોનો ટેક્સ
- Illegal Betting App Case: દિલ્હીમાં ઈડીની ઓફિસ પહોચ્યા સુરેશ રૈના, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ
- નવી ખરીદેલી કાર ચલાવી નહીં શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મોકલી નોટિસ, જાણોશું છે કારણ
Arjun Tendulkar Engagement - સચિન તેંદુલકરનાં પુત્ર અર્જુન તેંદુલકરે કરી સગાઈ, જાણો કોણ છે સારા તેંદુલકરની થનારી ભાભી ?
arjune tendulkar
Arjun Tendulkar Engagement: મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, તે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે સગાઈ કરી રહ્યો છે. ઘાઈ પરિવાર આતિથ્ય અને ખાદ્ય ક્ષેત્રે એક જાણીતું નામ છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી જેમાં પરિવારના સભ્યો અને બંને પક્ષના નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જોકે, અત્યાર સુધી તેંડુલકર પરિવાર કે ઘાઈ પરિવારે સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
કોણ છે સાનિયા ચંડોક
ઘઈ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ ઉદ્યોગોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને લોકપ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીના માલિક છે. ભારત સરકારના સત્તાવાર રેકોર્ડ (કોર્પોરેટ બાબતોના મંત્રાલય) અનુસાર, સાનિયા મુંબઈ સ્થિત શ્રી પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીમાં ડેઝિગ્નેટેડ પાર્ટનર અને ડિરેક્ટર છે. સાનિયાના પરિવારે ભારત ઉપરાંત પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો છે, જેમાં તેમણે મધ્ય પૂર્વ અને અન્ય વૈશ્વિક બજારોમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.
#BreakingNews#ArjunTendulkar, son of former India captain and cricket icon @sachin_rt, has got engaged to #SaaniyaChandok, the granddaughter of prominent Mumbai businessman Ravi Ghai.
— Raman Dixit (@RamanJourno) August 13, 2025
The engagement was a private affair, attended by close friends and family from both sides. pic.twitter.com/QXGo5Ew9dr
અર્જુન તેંડુલકર એક ક્રિકેટર છે
25 વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે. તે IPL પણ રમી ચૂક્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. અર્જુને 2020/21 સીઝનમાં મુંબઈ સાથે પોતાની ડોમેસ્ટિક કરિયરની શરૂઆત કરી હતી, જ્યાં તેણે હરિયાણા સામેની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ, તેણે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. 2022 /23 સીઝનમાં, તે ગોવા ટીમમાં જોડાયો હતો, જ્યાં તેણે પોતાનો ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ડેબ્યૂ કર્યો હતો.
અર્જુનની ક્રિકેટ કરિયર
રેડ બોલ ક્રિકેટમાં, અર્જુને 17 મેચમાં 532 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે બોલિંગ કરતી વખતે 37 વિકેટ પણ લીધી છે, જેમાં એક ઇનિંગમાં એક વાર 5 વિકેટ અને બે વાર ઇનિંગમાં 4 વિકેટનો સમાવેશ થાય છે. ગોવા માટે લિસ્ટ A ક્રિકેટ રમીને, તેણે 17 મેચમાં ભાગ લીધો હતો, જેમાં 9 ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. જો આપણે તેની IPL કારકિર્દી પર નજર કરીએ તો, તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 5 મેચમાં 73 બોલ ફેંક્યા અને 38.00 ની સરેરાશથી 3 વિકેટ લીધી, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 1/9 હતું. આ દરમિયાન, તેણે 9.36 નો ઇકોનોમી રેટ અને 24.3 નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો. તેને બેટથી વધુ તકો મળી ન હતી. તેણે 144.44 ના સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 13 રન બનાવ્યા છે.
