સંબંધિત સમાચાર
- જીત બાદ વડાપ્રધાન મોદીએ આપી અભિનંદન, કહ્યું- 140 કરોડ દેશવાસીઓને ટીમ ઈન્ડિયા પર ગર્વ છે
- IND vs SA Final : ટીમ ઈન્ડિયાએ જીત્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ, ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું
- IND vs SA: કપ્તાન રોહિત ઈતિહાસ રચવાથી બસ એક પગલુ દૂર, અર્શદીપ પણ આ મોટા રેકોર્ડથી માત્ર 3 ડગલાં દૂર છે.
- સેમી ફાઈનલ જીતતા જ રોહીત શર્માની આંખમાં આવ્યા આંસુ, ઈમોશનલ કરનારો વિડીયો થયો વાયરલ
- IND vs ENG :10 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલ મેચ 68 રને જીતી
'હું T20 ને અલવિદા કહી રહ્યો છું', રવિન્દ્ર જાડેજાએ ચાહકોને 440 વોલ્ટનો આંચકો આપ્યો
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જાડેજા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં 24 કલાકની અંદર 3 ભારતીય દિગ્ગજ ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે.
રવિન્દ્ર જાડેજાએ લખ્યું, 'ભારે હૃદય સાથે, હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી રહ્યો છું. ગર્વ સાથે દોડતા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને હું અન્ય ફોર્મેટમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતવો એ એક સ્વપ્ન સાકાર થવાનું હતું, જે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર.
Edited By- Monica sahu
