ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો
Amazing Facts : પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માટેનુ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેંટ છે. આ મુસાફરોની ઓળખ સાબિત કરે છે અને વિદેશ યાત્રાની કાયદાકીય અનુમતિ આપે છે. પાસપોર્ટ વગર કોઈ પણ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકતું નથી. વિઝા મેળવવા, વિદેશમાં બેંક ખાતું ખોલવા, હોટલ બુક કરવા અને ઈમરજંસી મદદ મેળવવા માટે તે જરૂરી છે. પાસપોર્ટમાં વ્યક્તિગત વિગતો, ફોટો અને બાયોમેટ્રિક માહિતી હોય છે, જે સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગોના કેમ હોય છે? જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે ભારતમાં પાસપોર્ટ ચાર અલગ અલગ રંગો (વાદળી, સફેદ, લાલ અને નારંગી) ના હોય છે. ખરેખર, દરેક રંગ પાછળ એક ખાસ કારણ હોય છે, જે અમે આજે તમને બતાવી રહ્યા છીએ.
પહેલા આ જાણી લો
ઉલ્લેખનીય છે કે 1967 ના પાસપોર્ટ અધિનિયમ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા પ્રબંધિત ભારતના પાસપોર્ટ પ્રણાલીમાં ઉલ્લેખનીય વિકાસ થયો છે. બાયોમેટ્રિક ચિપથી લેસ ઈ-પાસપોર્ટની તાજેતરની શરૂઆત ભારતીય નાગરિકો માટે વિદેશ યાત્રાને ઝડપી, સુરક્ષિત અને અધિક સુવિદ્યાજનક બનાવી દીધી છે.
ઈસ્ટાગ્રામ પર વાયરલ પોસ્ટ દ્વારા સંક્ષેપમાં સમજો
ઈંસ્ટાગ્રામ પર marketingquake નામના હેંડલ પરથી પાસપોર્ટના રંગો સાથે જોડાયેલ એક પોસ્ટ કરવામાં આવી હતી. તેને સંક્ષેપમાં સરળ ભાષામાં આ રીતે સમજી શકીએ છીએ.
સફેદ રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય
ભારતમાં સફેદ પાસપોર્ટ ફક્ત સરકારી અધિકારીઓ, સિવિલ સેવકો અને સત્તાવાર કામકાજ માટે મુસાફરી કરનારા લશ્કરી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે, હવે તે RFID ચિપ સાથે સુરક્ષિત ઇ-પાસપોર્ટ તરીકે જારી કરવામાં આવે છે જેથી છેડછાડ અટકાવી શકાય. એ નોંધનીય છે કે આ પાસપોર્ટ મેળવવામાં ખૂબ જ કઠિન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અરજદારોએ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, તેમના વિભાગ તરફથી ફરજ પ્રમાણપત્ર, સત્તાવાર ડિસ્પેચ લેટર અને વડા પ્રધાન કાર્યાલય (PMO) તરફથી મંજૂરી પ્રદાન કરવાની જરૂર છે.
લાલ રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય
ભારતમાં મળનારા લાલ પાસપોર્ટ રાજદ્વારીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને તેમના પરિવારોને જારી કરવામાં આવે છે. આ પાસપોર્ટ ધારકોને ઝડપી વિઝા પ્રક્રિયા અને ચોક્કસ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ મળે છે. આ પાસપોર્ટ ઇ-પાસપોર્ટ ફોર્મેટમાં પણ રજુ કરવામાં આવતા હોવાથી, તેમની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિમાં વધારો થાય છે. રાજદ્વારી પાસપોર્ટ અરજીઓ કડક ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેમાં સત્તાવાર ઓળખ, ડ્યુટી પ્રમાણપત્ર, ફોરવર્ડિંગ લેટર અને વડા પ્રધાન કાર્યાલય તરફથી મંજૂરીનો સમાવેશ થાય છે. આ ખાતરી કરે છે કે ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ સંવેદનશીલ રાજદ્વારી મુસાફરી કરવાની મંજૂરી છે.
નારંગી રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય
નારંગી રંગનો પાસપોર્ટ એવા ભારતીય નાગરિકોને રજુ કરવામાં આવે છે જેમણે ચોક્કસ સ્તરનું શિક્ષણ પૂર્ણ કર્યું નથી અથવા જેઓ કામકાજ માટે ચોક્કસ દેશોમાં મુસાફરી કરી રહ્યા છે. આ માટે વધારાની મંજૂરીની જરૂર છે. નારંગી રંગનો પાસપોર્ટ સૂચવે છે કે પાસપોર્ટ ધારકે વિદેશ મુસાફરી કરતા પહેલા વધારાની ઇમિગ્રેશન પ્રક્રિયાઓમાંથી પસાર થવું આવશ્યક છે.