શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 27 માર્ચ 2021 (10:39 IST)

પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ યાત્રા દરમિયાન શ્રેષ્ઠ સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની સ્થાપના

પશ્ચિમ રેલ્વે હંમેશાં તેના આદરણીય મુસાફરોની સલામતી અને તમામ સંભવિત શ્રેષ્ઠ પગલાંથી સંબંધિત વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે . પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ માનવયુક્ત અને માનવરહિત બંને સ્તરના ક્રોસિંગ્સને કાઢી નાખવા , લેવલ કોસિંગ ગેટને ઇન્ટરલોક કરવા , રોડ ડાઉન બ્રીજ અને મર્યાદિત ઊંચાઈના સબવે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બુકલેટનું પ્રકાશન સહિત વિવિધ વિશિષ્ટ સલામતી ઝુંબેરા , સલામતી ર્નિરીક્ષણ હાથ ધર્યું છે અને હમણાં જ એનડીઆરએફ સાથે આયોજન , મોકડ્રિલ્સ , અગ્નિશામક તાલીમ અને તાજેતરમાં પશ્ચિમ રેલ્વેના મુંબઇ ઉપનગરીય ખંડ પર મોબાઇલ ટ્રેન કમ્યુનિકેશન સિસ્ટમની સ્થાપનાએ આ પ્રક્રિયામાં બીજું એક લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે . પશ્ચિમ રેલવેના મુખ્ય જૈનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ , પશ્ચિમ રેલ્વે ક્રમબદ્ધ તમામ મેકેનિકલ સિગ્નલિંગ સ્થાપનોને દૂર કરી રહ્યું છે અને તેમની જગ્યાએ નવી કમ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી રહી છે . વર્ષ 2021 દરમિયાન 40 સ્ટેશનો પર યુનિવર્સલ ફેઇલ સલામત બ્લોક ઉપકરણોવાળી કપ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ અત્યાર સુધીમાં ગોઠવવામાં આવી છે . આ ટેકનોલોજીથી ઘણા ફાયદાઓ પ્રાપ્ત થયા છે , જેના પરિણામે સલામતીમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમજ ટ્રેનોની ગતિમાં વધારો થયો છે . 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિ ધરાવતી આ ટ્રેન હવે વધીને 100 કિ.મી. પ્રતિ કલાક થઈ ગયી છે . આ ઉપરાંત , કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે , જેણે ઓપરેટિંગ સમય ઘટાડ્યો છે . યાંત્રિક સિગ્નલિંગની પ્રતિસ્થાપનાથી જાળવણીમાં સુધારો કરવામાં આવ્યો છે . પરિણામે , ટોકન ઓથોરિટીનું અદલા - બદલી કરવાથી પણ બચી શકાય છે . આ રીતે , એક્સેલ સિંસ્ટમ કાઉન્ટર્સના ઉપયોગથી પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંપૂર્ણ આગમન શક્ય બન્યું છે . પરિણામે , ટ્રેનોની સલામતીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે .