સંબંધિત સમાચાર
- મે ડે કોલ, એન્જિનનો ગર્જના અને પાઇલટનો છેલ્લો અવાજ... ક્રેશ થયેલા વિમાનના કોકપીટનો વોઇસ રેકોર્ડર મળી આવ્યો
- Israel Iran War LIVE Updates: ઈરાન વિરુદ્ધ ઈઝરાયલનું નવું પગલું, હવે સેના આ સ્થળો પર હુમલો કરશે
- Ahmedabad Plane Crash ૮૦ પીડિતોના ડીએનએ નમૂના મેચ થયા, ૩૩ લોકોના મૃતદેહ સગાસંબંધીઓને સોંપાયા
- Israel-Iran ઈરાનમાં ૩૬૦૦૦ ભારતીયો ફસાયેલા છે, જાણો તેમની સ્થિતિ કેવી છે, તેમની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
- Ahmedabad Plane Crash Updates- ૩૧ મૃતદેહોના ડીએનએ નમૂના મેચ થયા, વિજય રૂપાણીના ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલુ છે
ઈરાનમાં ફસાયા હજારો વિદેશી, 10 હજારથી વધુ ભારતીય, કોઈ ફ્લાઈટ નથી, જાણો પરત ફરવાનો રસ્તો
Iran-Israel Conflict 2025: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને બોમ્બમારાથી બંને દેશોના નાગરિકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. બંને દેશોમાં રહેતા વિદેશી નાગરિકો ત્યાંથી ભાગી રહ્યા છે. સૌથી વધુ લડાઈ ઈરાનમાં ચાલી રહી છે. રાજધાની તેહરાનમાં નાસભાગ મચી ગઈ છે. લોકો સરહદો તરફ દોડી રહ્યા છે, રાજધાનીના દરેક બહાર નીકળવાના રસ્તા પર જામ છે. ઘણા લોકો શહેર છોડીને ગામડાઓ તરફ દોડી રહ્યા છે અને આશરો લઈ રહ્યા છે. હકીકતમાં, સતત બોમ્બમારા અને મિસાઈલ હુમલાઓને કારણે, લોકો ભયભીત છે અને પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
રસ્તાઓ પર જામ, કોઈ રસ્તો નથી બચ્યો જ્યા જામ ન હોય
તેહરાનથી નીકળનારા બધા માર્ગ જામ મા ફસાયા છે. લોકો શહેરમાંથી ગામની તરફ ભાગી રહ્યા છે. રસ્તા પર કારોનો રેલો લાગ્યો છે.
Iranians are leaving Tehran in droves. Huge traffic jams on all exits https://t.co/g7tBbLy9lY pic.twitter.com/5KTxyKZ55t
— Abhijit Iyer-Mitra (@Iyervval) June 15, 2025
10 હજારથી વધુ ભારતીય ફસાયા ઈરાનમાં લગભગ દસ હજાર ભારતીયો પણ ફસાયેલા છે. સોમવારે ઈરાને તમામ વિદેશી નાગરિકોને દેશ છોડવાની મંજૂરી આપી હતી. આ આદેશ પછી, ભારતીયો પણ તેમના વતન પરત ફરી શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે દેશમાં એરપોર્ટ બંધ છે પરંતુ બધી સરહદો ખુલ્લી છે. તેહરાન સરકારે કહ્યું કે તમામ રાજદ્વારી મિશન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને સરહદો ખોલવા અંગે જાણ કરવામાં આવી છે. જો કોઈ મિશન તેના નાગરિકો અથવા સ્ટાફને વિદેશ મોકલવા માંગે છે, તો તે માહિતી આપ્યા પછી આમ કરી શકે છે.
ઈરાનથી બહાર નીકળવા માટે શું કરવાની જરૂર છે?
ઈરાનના જનરલ પ્રોટોકોલ વિભાગે મુસાફરોના નામ, પાસપોર્ટ નંબર, વાહનની વિગતો, દેશમાંથી પ્રસ્થાનનો સમય અને તેઓ જે સરહદમાંથી જવા માંગે છે તે વિશે અગાઉથી માહિતી આપવી પડશે.
દૂતાવાસની ચેતવણી અને ભારત સરકારની પહેલ
ભારતીય દૂતાવાસે હાઇ એલર્ટ એડવાઇઝરી જારી કરી છે. ભારત સરકાર ઓપરેશન સુરક્ષિત વતન જેવા મિશન દ્વારા સરહદી માર્ગો દ્વારા ભારતીયોને પરત લાવવાની તૈયારી કરી રહી છે. સ્થળાંતર પ્રક્રિયા નજીકની સરહદ ચોકીથી શરૂ કરવામાં આવશે, જેમાં તુર્કમેનિસ્તાન, આર્મેનિયા અને પાકિસ્તાન દ્વારા થતા માર્ગો મુખ્ય વિકલ્પો હોઈ શકે છે.
