શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (01:33 IST)

દિવાળી માટે ઘરના પડદા ખરીદતા પહેલા વાસ્તુ મુજબ આટલી વાતોનુ રાખો ધ્યાન

દિવાળી એક એવો તહેવાર છે જેના માટે ઘરમાં દરેકનુ મન ખૂબ જ ઉત્સાહી હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક કોઈ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. દિવાળીમાં આપણે ઘરની સજાવટ માટે બેડશીટ અને પડદા દર વર્ષે નવા ખરીદીએ છીએ, આ વખતે પડદાં ખરીદતા પહેલા થોડુ વાસ્તુ મુજબના રંગોનુ પણ ધ્યાન રાખશો તો તમારુ ઘર ખુશીઓથી મહેકી ઉઠશે 
 
વિવિધ રંગના પડદા આપણા ઘરને તો સુંદર બનાવે જ છે, સાથે જ ઘરમાં પૉજિટિવ એનર્જી પણ બનાવવામાં મદદ કરે છે. ત્યારે આવો જાણીએ, વાસ્તુના હિસાબે કઇ દિશામાં કયા રંગના પડદા વધુ ફાયદો કરાવતા હોય છે.
 
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામા આવ્યું છે કે જો કોઇના પરિવારમાં ઝઘડા વધુ થતા હોય કે પછી ઘરના લોકોને એકબીજા સાથે બનતું ન હોય તો દક્ષિણ દિશામાં લાલ કલરના પડદા લગાવવાથી શુભ ફળ મળે છે. આનાથી ઘરના સદસ્યોનો અંદરોઅંદર પ્રેમ વધે છે.
 
વારંવાર મહેનત કર્યા બાદ પણ સફળતા ન મળતી હોય તો આના માટે વાસ્તુ શાસ્ત્રમાં યુક્તિ આપવામાં આવી છે. આવી બાબતોમાં વાસ્તુ શાસ્ત્ર ઘરની પશ્ચિમી દિવાલમાં સફેદ રંગના પડદા લગાવવાની સલાહ આપે છે. જો આવું કરો છો તો તમારી પરેશાની દૂર થશે.
 
પૂર્વ દિશાના રૂમમાં લીલા પડદા લગાવવા ઘરના વેપાર અને આવકના સોર્સમાં વૃદ્ધિ માટે શુભ હોય છે. 
 
પશ્ચિમ દિશામાં બેલા રૂમ માટે સફેદ પડદા લગાવવા ફાયદાકારક રહેશે, આવું કરવાથી ઘરના લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે.
 
ઉત્તર દિશાના રૂમમાં વાદળી પડદા લગાવવાથી ઘરના ધનમાં વધારો થાય છે.
 
દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે.
 
રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલર કરાવવો જોઈએ. ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે, તેનાથી ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે છે. બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગ સૌથી સારો રહે છે.