શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (16:28 IST)

Kitchen Tips- ફેંકવુ નહી, આ રીતે કરવુ અથાણાના વધેલા તેલનો ઉપયોગ

ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે કરવું. અથાણાના બચેલા તેલનો ઉપયોગ

લોટ બાંધવું 
લોટ બાંધતા સમયે તેમાં વધેલો અથાણાનો તેલ નાખી દો. તેનાથી લોટ વાસણથી ચોંટશે નહી અને નરમ પણ થશે. 
 
ચટણીનો સ્વાદ વધારશે 
ફુદીંબા કે ટમેટાની ચટણી વાટતા સમયે તેમાં થોડો અથાણાનો તેલ નાખી દો. તેનાથી તે વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
વધેલા તેલથી મેરિનેટ કરવું 
ચિકન, ફિશ કે કોઈ પણ વસ્તુને મેરિનેટ કરવા માટે વધેલા અથાણાનુ તેલ ઉપયોગ કરવું. તેનાથી તેલ પણ ઉપયોગ થશે અને ડિશનો સ્વાદ પણ વધી જશે. 
 
પરાંઠા બનાવો
પરાંઠાની સ્ટફિંગ માટે તમે વધેલા તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પરાંઠા શેકવા માટે તમે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
કઢી બનાવવા
કઢી બનાવતા સમયે પણ તમે તેમાં અથાણાના તેલ નાખી શકો છો. તેનાથી કઢી ખૂબ સ્વાદિષ્ટ બનશે અને તેલ પણ રિયૂજ થઈ જશે. 
 
ફરીથી અથાણુ નાખવું 
અથાણાના તેલને તમે ફરીથી ગાજર, મૂળા, કેરી જેવા અથાણા નાખવા માટે ઉપયોગ કરી શકો છો.