શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : મંગળવાર, 16 જુલાઈ 2019 (11:49 IST)

Lunar Eclipse 2019: ગર્ભવતી સ્ત્રીઓ જરૂર રાખે આ સાવધાની, નહી તો બાળક પર થશે ખરાબ અસર

16 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે એક વાગીને 30 મિનિટ પર થશે અને આ 17 જુલાઈની સવારે લગભગ 4.31 વાગ્યા સુધી રહેશે.  આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ. 
 


ચદ્ર ગ્રહણ દરમિયાન સૌથી વધુ સાવધાની ગર્ભવતી સ્ત્રીઓએ રાખવાની હોય છે. એવુ કહેવાય છે કે આ દરમિયાન એવી કિરણો નીકળે છે જેની ગર્ભવતીના પેટમાં ઉછરી રહેલ ભ્રૂણ પર ખરાબ અસર પડે છે. આ અસર બાળકના શરીરમાં દેખાય છે. તેથી અમે બતાવી રહ્યા છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેવી સાવધાની રાખવી જોઈએ. 
 
 
1. ગ્રહણ દરમિયાન ઘરેથી બહાર ન નીકળશો. અહી સુધી કે ઘરની બાલકનીમાં પણ ન જશો. કોશિશ કરો કે ગ્રહણની કિરણ તમારા બાળક પર ન પડે. ગ્રહણને જોવાથી પણ દૂર રહો 
 
2. ગ્રહણ દરમિયાન અણીદાર કે ધારદાર વસ્તુઓ જેવી કે સોઈ કાતરથી દૂર રહો અને ભૂલથી પણ તેને અડશો નહી. શાક કાપવાનુ કામ ન કરો અને બની શકે તો ઘરના કામ પણ ન કરશો. પણ હા તમારા ઓશિકા નીચે ચપ્પુ જરૂર મુકો. 
 
3. કોઈ પણ પ્રકારની હેયર સ્ટાઈક કરવાથી બચો. પછી તે ભલે અંબોડો હોય કે ચોટલી.  એવુ કહેવાય છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓ દ્વારા હેયરસ્ટાઈલ કરવાથી બાળકના અંગમા વિકાર જન્મી શકે છે.  આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ અને મોઢા પર કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરવો જોઈએ. 
 
4. ગ્રહણ દરમિયાન ખાવાનુ ન બનાવશો અને આ સમયે બનેલ ખાવાનુ પણ કોઈને ન ખવડાવશો.  તેમા દૂષિત કિરણોને કારણે થનારા બાળકને નુકશાન પહોંચી શકે છે. 
 
5. ગ્રહણ ખતમ થયા પછી પાણીમાં તુલસીના પાન નાખીને સ્નાન કરો. આવુ એ માટે કારણ કે આ દરમિયાન નીકળનારી કિરણો વાતાવરણને દૂષિત કરે છે. આ તરંગો અજન્મેલા બાળકને પ્રભાવિત કરી શકે છે. તેથી તેના પ્રભાવથી બચવા માટે ગ્રહણ પછી સ્નાન કરવુ જરૂરી છે. 
 
6. આ દરમિયાન બિલકુલ ઉંઘશો નહી અને તુલસીના પાનને જીભ પર મુકીને હનુમાન ચાલીસા કે દુર્ગા સ્તુતિનો પાઠ કરો. 
 
7. આ દરમિયાન પોતાની સાથે નારિયળ રાખો. એવુ કહેવાય છે કે તેનાથી બાળક પર ગ્રહણનો કાળો પડછાયો પડતો નથી.