શનિવાર, 24 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (12:37 IST)

નવરાત્રીના સમયે પતિ-પત્ની એક બીજાથી દૂર રહેવું જોઈએ

Navratri relationship tips in gujarati
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ શું તમે તેનો કારણ જાણો છો.  
 
અધ્યાત્મ 
અધ્યાતમની નજરથી જુએ તો જે ઘરમાં નવરાત્રીનો પૂજન કરાય છે તે ઘરમાં દંપત્તિને ખાસ સમય યૌન સંબંધ બનાવવાથી બચવું જોઈએ. માનવું છે જે લોકો આ નિયમનો પાલન નહી કરે છે તેનો મન માતાની આરાધનામાં નહી લાગે છે. આવું કરતા લોકોનો મન વિચલિત રહે છે. જેના કારણે તેમનની સાધના અપૂર્ણ રહી જાય છે. 
 
ધર્મની સાથે વિજ્ઞાન પણ 
નોરતાના સમયે જે લોકો વ્રત રાખે છે તેના શરીરની ઉર્જામાં કમી આવી જાય છે. જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે યૌનાચરણ માટે તૈયાર નહી રહે છે. આ કારણે આ ખાસ સમયે લોકોને પોતાના પર સંયમ રાખવા માટે કહેવાય છે. 
 
ધાર્મિક દ્ર્ષ્ટિકોણ 
ધાર્મિક  દ્ર્ષ્ટિકોણની વાત કરીએ તો નવરાત્રના દિવસોમાં માતારાની ધરતી પર વાસ કરે છે. માનવું છે કે માતાનો અંશ દરેક સ્ત્રીમાં હોય છે. આ જ કારણે આ સમયે  સુહાગન મહિલાઓને સુહાગની સામગ્રી આપવાની પણ પરંપરા છે. જેના કારણે નવરાત્રથી માણસ પોતાના પર સંયમ અને બ્રહ્મચર્યનો પાલન કરવા માટે કહેવાય 
છે.