Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથની આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો શિવભક્તો પોતાની રાશિ મુજબ શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરે, તો તેનું ફળ અનેકગણું વધી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ કેવી રીતે કરવી જોઈએ પૂજા.
મેષ (Aries)
મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોએ શિવલિંગ પર કાચું દૂધ અને મધ અર્પણ કરવું જોઈએ. સાથે જ લાલ ફૂલ ચડાવવાથી સંકટો દૂર થાય છે.
વૃષભ (Taurus)
આ રાશિના જાતકોએ ભગવાન શિવનો દહીંથી અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત સફેદ ચંદન અને સફેદ ફૂલ અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
મિથુન (Gemini)
મિથુન રાશિના લોકોએ શિવજીને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. સાથે જ મગના દાણા અને બીલીપત્ર અર્પણ કરવાથી બુદ્ધિ અને વેપારમાં વૃદ્ધિ થાય છે.
કર્ક (Cancer)
ચંદ્રની આ રાશિના જાતકોએ શિવલિંગ પર કાચું દૂધ અને સાકર મિશ્રિત જળ ચડાવવું જોઈએ. આ ઉપાયથી માનસિક શાંતિ મળે છે.
સિંહ (Leo)
સૂર્યની રાશિ સિંહના જાતકોએ શિવજીને ગોળનું પાણી અથવા મધ અર્પણ કરવું જોઈએ. લાલ કનેરનું ફૂલ ચડાવવાથી સમાજમાં માન-સન્માન વધે છે.
કન્યા (Virgo)
કન્યા રાશિના લોકોએ શેરડીના રસ અથવા ધતૂરાના રસથી શિવજીનો અભિષેક કરવો. પાન (નાગરવેલનું પાન) અર્પણ કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.
તુલા (Libra)
તુલા રાશિના જાતકોએ શિવલિંગ પર ગાયના ઘી અને અત્તરથી અભિષેક કરવો જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.
વૃશ્ચિક (Scorpio)
આ રાશિના લોકોએ પંચામૃત અથવા શુદ્ધ મધથી શિવજીની પૂજા કરવી જોઈએ. લાલ ગુલાબ અર્પણ કરવાથી શત્રુઓ પર વિજય મળે છે.
ધનુ (Sagittarius)
ધનુ રાશિના જાતકોએ દૂધમાં હળદર અથવા કેસર ભેળવીને અભિષેક કરવો જોઈએ. પીળા ફૂલ ચડાવવાથી નસીબ આડેનું પાંદડું ખસે છે.
મકર (Capricorn)
શનિની આ રાશિના લોકોએ શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ ભેળવીને અભિષેક કરવો. આનાથી શનિ દોષમાં રાહત મળે છે.
કુંભ (Aquarius)
કુંભ રાશિના જાતકોએ નારિયેળ પાણી અથવા સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. શમીના પાન અર્પણ કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે.
મીન (Pisces)
મીન રાશિના લોકોએ શિવજીને કેસરયુક્ત દૂધ અર્પણ કરવું જોઈએ. પૂજામાં પીળા રંગના ફૂલ અને ફળનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.