સંબંધિત સમાચાર
- Video: બિહારમાં મોબાઈલ ચોરને મળી એવી સજા કે જોઈને તમે પણ કાંપી જશો, ટ્રેનની બારીમાંથી જીવ બચાવવાની માંગી રહ્યો હતો ભીખ
- Project Cheetah: સ્પેશલ વિમાનથી નામીબિયાથી ભારત આવશે ચીત્તા, તેના પર બનેલી પેંટીંગ જીતી લેશે દિલ!
- બદલાની આગમાં, એક કરોડની કારને આગ ચાંપી
- Lakhimpur બે યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી
- Engineer's Day 2022: 15 સ્પ્ટેમ્બરના રોજ કેમ ઉજવાય છે એંજિનિયર દિવસ ? જાણો ઈતિહાસ અને રોચક વાતો
લખનૌમાં દિવાલ ધરાશાયી થતા 9ના મોત:
ઝાંસીના કામદારોએ દિવાલ પર ઝૂંપડી બનાવી હતી,
મુખ્યમંત્રી હોસ્પિટલ જવાના હતા;
પાણી ભરાવાને કારણે પ્રવાસ રદ થયો
લખનૌમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે એક મોટી દુર્ઘટના બની હતી. અહીંની દિલકુશા કોલોનીમાં દિવાલ ધરાશાયી થવાથી 9 લોકોના કચડાઈને મોત થયા છે. બે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલો ઝાંસી જિલ્લાના પચવાડાના રહેવાસી છે. સીએમ યોગી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચવાના હતા, પરંતુ કાલિદાસ ચારરસ્તા પાસે પાર્ક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
આ તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મી કેમ્પસની જૂની દિવાલની બાજુમાં ઝૂંપડામાં રહેતા હતા અને નવી બાઉન્ડ્રી વોલના બાંધકામમાં રોકાયેલા હતા. ડીએમએ જણાવ્યું કે બાઉન્દ્રીવાલ પાસે એક ઝૂંપડીમાં લોકો સૂતા હતા. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર છે. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર આનંદ ઓઝાનું કહેવું છે કે સવારે 7 વાગ્યે 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તમામ લોકોના મોત થયા હતા. આ સિવાય બે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

