શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (14:33 IST)

ઉન્નાવ દુષ્કર્મ કેસ- સીજેઆઈએ પીડિત પરિવારનો પત્ર ન મળતા પર ગુસ્સો, કાલે સુનવણી

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારથી એક અઠવાડિયાની અંદર જવાન દાખલ કરબા માટે કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ રજિસ્ટ્રારથી પૂછુયુ કે તે જણાવો કે ઉન્નાવ બળાત્કાર પીડિતા દ્વારા મોકલેલ (12જુલાઈ) ને કોર્ટની સામે શા માટે નથી રાખ્યુ૵ આખે શા માટે પત્રને તેમના સામે રાખવામા મૉડું થયુ. પત્રમાં પીડિતાએ મેડિકલ રિપોર્ટ પણ માંગી હતી. સીજેઆઈનો કહેવું છે કે આ વિનાશકારી વાતાવરણમાં કઈક રચનાત્મક કરવાની કોશિશ કરાશે. તેને કીધું કે જોઈએ છે અમે તેના પર શું કરી શકે છે. 
 
જણાવીએ કે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે થયેલ રોડ દુર્ઘટના પછી દુષ્કર્મ પીડિતાનો એક પત્ર ચર્ચામાં આવ્યું છે. આ પત્ર તેને 12 જુલાએ 2019ને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીધ રંજન ગોગોઈને લખ્યુ હતું. 
 
તેમાં પીડિતા દુષ્કર્મના આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરના સમર્થઓની તરફથી મળી રહી ધમકીની ચર્ચા કરી હતી. સાથે જ પરિવારને ફર્જી કેસમાં ફંસાવવાની ધમકી પણ આપી હતી. 
 
પીડિતાએ લખ્યુ કે ન્યાયની આખરે કડીમાં તમે ઉભા છો. આ કાંડ પછી મારુ જીવવુ6 મુશ્કેલ થઈ ગયું છે. ઉપરથી અમે દરરોજ ધમકીઓ મળી રહી છે. ધમકી આપનાર કહે છે કે કેસ પરત ખેંચી લો નહી તો ફર્જી કેસમાં પરિવાર વાળાને જેલ મોકલી નાખશે. હું આવી ધમકીઓથી પરેશાન થઈ ગઈ છું. પત્રમાં પીડિતાએ મુખ્ય ન્યાયાધીશથી જલ્દી થી જલ્દી ન્યાયની માંગણી કરી છે. 
 
કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની કારને 28 જુલાઈએ એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
કારમાં તેમની સાથે રહેલાં તેમનાં માસી અને કાકીનાં મૃત્યુ થઈ ગયાં. કારમાં તેમની સાથે વકીલ પણ હતા.
રાયબરેલી પાસે તેમની કારનો જોરદાર અકસ્માત થયો. વકીલ અને પીડિતા બંને અત્યારે લાઇફ સપોર્ટ પર હૉસ્પિટલમાં છે.
શું છે આખી ઘટના 
સમગ્ર મામલો ક્યારથી શરૂ થયો તે પહેલાં જોઈએ. કુલદીપસિંહ સેંગર ભાજપની ટિકિટ પર ઉન્નાવ જિલ્લાની બાંગરમાઉ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
તેઓ માખી ગામમાં રહે છે. તેમના જ ગામની એક સગીરાએ 4 જૂન 2017ના રોજ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
-કેસ દાખલ થાય તે પહેલાં ઉન્નાવ પોલીસે 8 એપ્રિલ, 2018ના રોજ પીડિતાના પિતાને આર્મ્સ એક્ટ હેઠળ પકડી લીધા.
- તે પછી પીડિતાએ મુખ્ય મંત્રીના નિવાસસ્થાન સામે અગ્નિસ્નાન કરવાની કોશિશ કરી હતી, જોકે, તેને બચાવી લેવાઈ હતી.
- પીડિતાના પિતા સાથે પોલીસ કસ્ટડીમાં મારપીટ થઈ, તેના કારણે 9 એપ્રિલ, 2018ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું.
- કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની કારને 28 જુલાઈએ એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
કારમાં તેમની સાથે રહેલાં તેમનાં માસી અને કાકીનાં મૃત્યુ થઈ ગયાં. કારમાં તેમની સાથે વકીલ પણ હતા.
રાયબરેલી પાસે તેમની કારનો જોરદાર અકસ્માત થયો. વકીલ અને પીડિતા બંને અત્યારે લાઇફ સપોર્ટ પર હૉસ્પિટલમાં છે.
- ત્યારબાદ 7 જુલાઈ, 2018ના રોજ - સીબીઆઈએ પીડિતાના પિતાના મોતના કેસમાં એફઆઈઆર દાખલ કરી.
- 11 જુલાઈ 2018ના રોજ સેંગર પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો.
પીડિતા સગીરા હતાં તેથી પૉક્સો હેઠળ પણ કેસ નોંધાયો હતો.
- 13 જુલાઈએ સીબીઆઈએ સેંગરની 16 કલાક પૂછપરછ કરી હતી અને પછી તેમની ધરપકડ કરી હતી.
- ત્યારબાદ 13 જુલાઈએ જ સીબીઆઈએ સેંગર પર પીડિતાના પિતા સામે ખોટો આરોપો મૂકવા બદલ કેસ દાખલ કર્યો હતો.