ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (20:29 IST)

મોદી સરકારનું ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ , રાષ્ટ્રપતિની મંજૂરી પછી બનશે કાનૂન્

રાજ્યસભામાં ત્રણ તલાક વિધેયકને રજૂ કરી નાખ્યું છે. તેના પર સદનમાં ચર્ચા ચાલૂ છે. સરકારની પાસે રાજ્યસભામાં પૂર્ણ બહુમત નથી. આ કારણે તેને આ વિધેયકની પાસ કરાવવા માટે તેમના મિત્રદળની જરૂરત છે. પાછલા અઠવાડિયે આ બિલ લોકસભાથી પાસ થયું હતું. કેંદ્રીય મંત્રી પ્રસાદએ કહ્યું કે 20 થી વધારે દેશમાં ત્રણ તલાક બેન છે. તેથી આ કાનૂનને રાજકરણના ચશ્માથી ન જોવું. 
 
જનતા દળ આમ જેમ સહયોગીઓએ આ વિધેયકનો વિરોધ કરવાની જાહેરતા કરી સરકારની મુશ્કેલીઓ વધારી નાખી છે. પણ આશા છે કે વિપક્ષી દળના વિખરાવના કારણે તેને રાજ્યસભામાં ત્રણ તલાક વિધેયક પારિત કરવામાં કઠેનાઈ નહી થશે. આરટીઆઈ વિધેયક પર રાજ્યસભામાં થઈ વોટીંગમાં સરકારના પક્ષમાં 117 વોટ પડ્યા અને વિરોધમાં માત્ર 75 વોટ પડયા જ્યારે ગેર એનડીએ દળના સાંસદોની સંખ્યા 117 છેૢ તેમાંથી યૂપીએના સાંસદોની સંખ્યા 67 છે. પણ યૂપીએના ઘણા દળના વોટિંગથી દૂર હોવાના કારણે સરકારએ ભારે અંતરથી આ વિધેયક પારિત કરાવી લીધું હતું. 

ટ્રિપલ તલાક બિલમાં શું છે કાયદાકીય જોગવાઈઓ?
•ટ્રિપલ તલાકના કાયદામાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે.
•આ કાયદા મુજબ ટ્રિપલ તલાક બિન-જામીનપાત્ર ગુનો ગણાશે અને આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન નહીં મળી શકે.
•સુનાવણી અગાઉ જામીન માટે આરોપીને મૅજિસ્ટ્રેટ પાસે જવું પડશે. ત્યાં પત્નીની સુનાવણી બાદ જ પતિને જામીન મળી શકશે.
•કાયદા મુજબ પતિ પત્નીને ભરણપોષણ આપવા સહમત છે તેની મૅજિસ્ટ્રેટ જામીન અગાઉ ખાતરી કરશે. કાયદા મુજબ વળતરની રકમ મૅજિસ્ટ્રેટ નક્કી કરશે.