સંબંધિત સમાચાર
- ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; બે દિવસીય પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
- અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: મધુર ડેરીના નવા પ્લાન્ટ અને આઈ.ટી. પાર્કનું ઉદ્ઘાટન સહિત વિવિધ બેઠકોમાં આપશે હાજરી
- અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા દિગ્ગજ નેતાઓ, ગમે ત્યારે થઈ શકે છે ગુજરાત BJP ના નવા અધ્યક્ષનુ એલાન
- ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!
- સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક
મિશન ફાઈવ મિલિયન ટ્રી’થી હરિયાળું બનશે અમદાવાદ, 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના પ્રવાસ દરમિયાન શહેરમાં વૃક્ષારોપણ અને વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મહત્ત્વાકાંક્ષી 'મિશન ફાઇવ મિલિયન ટ્રી' અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને અમદાવાદને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેઓ સાયન્સ સિટી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઘાટલોડિયા વિસ્તારમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. વેજલપુર વિધાનસભા વિસ્તારના બોપલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેમની ઉપસ્થિતિ રહેશે.
પ્રવાસ દરમિયાન અમિત શાહ નારણપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આમ, તેઓ અમદાવાદમાં કુલ ચાર અલગ-અલગ સ્થળોએ વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ કાર્યક્રમ સ્થળોએ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
