શનિવાર, 15 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2025 (10:19 IST)

26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાની હતી પ્લાનિંગ, કરી લીધી હતી રેકી, ડોક્ટર મુઝમ્મિલ સાથે પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

red fort
સોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા વિસ્ફોટથી બધા ચોંકી ગયા છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી વિસ્ફોટના ત્રણ મુખ્ય શંકાસ્પદો ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર વિસ્ફોટ સમયે માર્યા ગયા હોવાની આશંકા છે, જ્યારે ડૉ. મુઝમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે, મુઝમ્મિલની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ચોંકાવનારો ખુલાસો એ છે કે આ લોકોએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી હતી.
 
26 જાન્યુઆરીએ હતુ હુમલાનુ પ્લાનિંગ 
દિલ્હી વિસ્ફોટ કેસમાં મુઝમ્મિલની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. એવું બહાર આવ્યું છે કે ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્લાની રેકી કરી હતી. આ માહિતી ડૉ. મુઝમ્મિલના ફોનના ડમ્પ ડેટામાંથી મળી હતી. પૂછપરછ દરમિયાન, તપાસ એજન્સીને એ પણ જાણવા મળ્યું કે તેમની યોજનાનો એક ભાગ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને નિશાન બનાવવાનો હતો. તેઓ દિવાળી પર ભીડભાડવાળી જગ્યાને નિશાન બનાવવાની પણ યોજના બનાવી રહ્યા હતા.
 
અત્યાર સુધીમાં 13 લોકોના મોત
સોમવારે, જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું. તેના થોડા કલાક પછી લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો હતો. પોલીસ સૂત્રો કહે છે કે ડૉ. ઉમર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલનો સભ્ય હતો, જેમાં ડૉ. મુઝમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડાર પણ સામેલ હતા. દિલ્હી વિસ્ફોટોમાં મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે, અને 21 ઘાયલ લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
 
જમ્મુ અને કાશ્મીર પોલીસ હાફિઝ ઇશ્તિયાકને ફરીદાબાદથી શ્રીનગર લઈ ગઈ છે. ડૉ. મુઝમ્મિલે હાફિઝ ઇશ્તિયાકનું ઘર ભાડે રાખ્યું હતું. મુઝમ્મિલે હાફિઝ ઇશ્તિયાક પાસેથી ભાડે રાખેલા ઘરના એક રૂમમાંથી 2563 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. NIA હાફિઝ ઇશ્તિયાકની પણ પૂછપરછ કરી રહી છે.