સંબંધિત સમાચાર
- Garvi Gujarat Bhawan ગુજરાતની ઓળખ બનશે, પીએમ મોદી કરશે આજે ઉદ્દઘાટન, જાણો શુ છે વિશેષતા
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ૭૦૬૬ ચોરસ મીટરના ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે
- બહરીનમાં પીએમ મોદીનું દર્દ - હું આટલો દૂર છું અને મારો મિત્ર અરુણ જતો રહ્યો
- World Tiger Day - પીએમ મોદીએ કહ્યું- વાઘ માટે સુરક્ષિત જગ્યા છે ભારત
- આગામી મહિને પીએમ મોદી આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ
પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા ગરવી ગુજરાત ભવનની વિશેષતાઓ
- 7066 ચોરસ મીટરનાં વિશાળ વિસ્તારમાં માત્ર બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં રૂ. 128 કરોડના ખર્ચે તૈયાર થયું ગરવી ગુજરાત ભવન.
- 25મી સપ્ટેમ્બર, 2017માં મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. 2જી સપ્ટેમ્બર, 2019 પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન થયું.
- આશરે 20323 સ્ક્વેર મીટરમાં સાત માળ અને બે બેઝમેન્ટની સુવિધા ધરાવતું નવીન ભવન.
- 79 રૂમ, વીઆઈપી લોન્જ, 200 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ તથા બિઝનેસ સેન્ટર, સોવેનિયર શોપ સાથે અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી ભવન વરસાદી પાણીના સંચયની આગવી સુવિધા.
- સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સોલિડ વેસ્ટ જનરેશન, ઈ-વેસ્ટ જનરેશન, હેઝાર્ડસ વેસ્ટ જનરેશન અને સ્લજ જનરેશનનાં નીકાલની સુવિધાથી સજજ ભવન.
- સૌર ઊર્જા ઉત્પાદન પ્લાન્ટ અને ચીલિંગ પ્લાન્ટથી સૂર્ય શક્તિ ઉર્જાનો વિનિયોગ કરતું ગરવી ગુજરાત ભવન.
- કચ્છથી ડાંગ સુધીના સમગ્ર ગુજરાતના વિવિધ પ્રાંતની લોકકલા, કચ્છી આર્ટવર્ક, ડાંગના વાર્લી પેઈન્ટીંગ્સ, મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી સહિત સુવિખ્યાત સાંસ્કૃતિક-કલા કસબની નમૂનેદાર પ્રસ્તુતિ ભવનમાં નિહાળી શકાશે.
- ગુજરાતની હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ ભવનના શોપ સોવેનીયરમાંથી દિલ્હીવાસીઓને વેચાણથી મળતી થશે.
- દિલ્હીવાસીઓને આ નવા ગરવી ગુજરાત ભવનમાં પરંપરાગત ગુજરાતી સ્વાદિષ્ટ વ્યંજન ખાનપાનનો રસાસ્વાદ પણ માણવા મળશે.
- નવી દિલ્હીમાં સંસદ ભવન અને વિવિધ મંત્રાલયો નજીક પ્રાઇમ લોકેશન પર સ્થિત નવું ગરવી ગુજરાત ભવન પારંપરિક અને આધુનિક સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
- આ સદન ઈન્વેસ્ટર્સ મીટ અને અન્ય બેઠકો માટેનું સેવાકેન્દ્ર બની, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધું વ્યાપક અને સરળ બનાવશે
