સંબંધિત સમાચાર
- ગ્રીન હાઇડ્રોજન, બ્લુ ઇકોનોમી, સ્વચ્છ ઉર્જા… પીએમ મોદીનો પાંચ દેશોનો પ્રવાસ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે અને શા માટે?
- 15 મે નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા
- IPL 2026 સિઝન ખતમ થતા જ આ પ્લેયર્સ પાસેથી છિનવાય જશે કપ્તાની, લીસ્ટમાં ઋષભ પંત સાથે આ ખેલાડી
- Monsoon Alert- આ તારીખે ચોમાસુ નિર્ધારિત સમય કરતા 5 દિવસ વહેલું આવી જશે. કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક સારા સમાચાર આપ્યા
- દિલ્હીની રેખા સરકારે અઠવાડિયામાં બે દિવસ Work From Home કરવાની જાહેરાત કરી
ગોરખપુર - લગ્નના દિવસે LLB નુ પેપર આપવા ગઈ દુલ્હનનુ થયુ એક્સીડેંટ, પંડિતને લઈને હોસ્પિટલ પહોચ્યો વરરાજા, ICU મા જ ભરી દીધી માંગ
Gorakhpur Unique Wedding
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં લગ્નની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બુધવારે રાત્રે વરરાજાએ ICUમાં દાખલ દુલ્હનના કપાળ પર સિંદૂર લગાવ્યું આ દરમિયાન, પુજારીએ મંત્રોચ્ચાર કર્યા અને બંને પાસેથી 7 વચન અપાવ્યા. ધાર્મિક વિધિઓ દરમિયાન, દુલ્હન તેના હોસ્પિટલના કપડાંમાં પલંગ પર સૂઈ રહી હતી. આ દરમિયાન, પરિવાર અને હોસ્પિટલમાં કામ કરતા લોકો ભાવુક થઈ ગયા. હોસ્પિટલના ડોકટરો, નર્સો અને સ્ટાફ પણ આ અનોખા લગ્નના સાક્ષી બન્યા. આ પછી, વરરાજા દુલ્હનના ગામ પહોંચ્યો અને ત્યાં લગ્નની અન્ય વિધિઓ પૂર્ણ થઈ.
કેમ કરવા પડ્યા હોસ્પિટલમાં લગ્ન ?
ગોરખપુરના બાંસગાંવના હટવાર ગામની રહેવાસી પૂજા યાદવના લગ્ન નવેમ્બર 2025માં મહાદેવ બજારના મહુઆના રહેવાસી સન્ની યાદવ સાથે થયા હતા અને શુભ મુહૂર્ત 13 મે, 2026 હતું. આ દિવસે પૂજાની LLB ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા હતી. સવારે તે તેના ભાઈ સાથે પરીક્ષા આપવા માટે ખલીલાબાદની કોલેજ ગઈ હતી. ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરીક્ષા પૂરી થયા પછી, બપોરે 12 વાગ્યાની આસપાસ, બંને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક પૂજાને ચક્કર આવવા લાગ્યા અને તે ચાલતી બાઇક પરથી રસ્તા પર પડી ગઈ. તેના માથામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. તેના ભાઈએ ફોન કરીને પરિવારના સભ્યોને જાણ કરી અને તેની બહેનને હોસ્પિટલ લઈ ગયો.
ગોરખપુરના દાઉદપુર સ્થિત આર્યન હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની તપાસ કરી. માથામાં ગંભીર ઈજા અને બેભાન થવાને કારણે, તેને તાત્કાલિક ICUમાં ખસેડવામાં આવી. આ દરમિયાન, પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા, અને મહિલાઓની બૂમાબૂમ શરૂ થઈ ગઈ.
વરરાજા એક પૂજારી અને સંબંધીઓ સાથે હોસ્પિટલમાં પહોંચ્યો.
દરમિયાન, સાંજે, સન્ની યાદવ વરઘોડો લઈને નવવધુના ગામ હટવાર પહોચ્યો. અહી દ્વારપૂજા (દ્વાર પૂજા) અને અન્ય વિધિઓ પૂરી કરી. ત્યારબાદ, રાત્રે લગભગ 1 વાગ્યે, સન્ની કેટલાક નજીકના સંબંધીઓ અને એક પૂજારી સાથે હોસ્પિટલમાં પહોંચ્યો. અહી તેણે ICU મા દાખલ પૂજાના કપાળ પર સિંદૂર લગાવ્યું, ત્યારબાદ ગામ પરત ફરીને બાકીની વિધિઓ પૂરી કરી.
કન્યાના ભાઈએ શું કહ્યું?
કન્યાના ભાઈ સર્વેશ યાદવે કહ્યું કે પૂજા તેની LLB પરીક્ષા આપવા ગઈ હતી. બાઇક પર પાછા ફરતી વખતે પડી ગઈ. આજકાલ, આવી પરિસ્થિતિઓમાં કોઈ લગ્ન કરવા માંગતું નથી. પરંતુ મારી બહેનના લગ્ન તે દિવસે હતા. આવી પરિસ્થિતિમાં આવીને તેના કપાળ પર સિંદૂર લગાવવા બદલ હું વરરાજા અને તેના પરિવારનો આભારી છું.
