1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2023 (07:35 IST)

Gyanvapi Masjid Survey:જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે શરૂ, 30 લોકોની ટીમ અંદર પહોંચી, 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રિપોર્ટ આપશે

Gyanvapimasjid
Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે શરૂ, 30 લોકોની ટીમ અંદર પહોંચી, 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રિપોર્ટ આપશે
 
જ્ઞાનવાપી સર્વેઃ વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે શરૂ થયો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ સોમવારે સવારે સાત વાગ્યે કેમ્પસમાં પહોંચી હતી.
 
જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ રવિવારે વારાણસી પહોંચી હતી. સોમવારે સવારે સાત વાગ્યાથી ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી હતી. અગાઉ, હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે અહીં જણાવ્યું હતું કે ASI ટીમ સોમવારે જ્ઞાનવાપી કેમ્પસમાં વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે શરૂ કરશે.