સંબંધિત સમાચાર
- Video: કેદારનાથ ધામમાં વધુ એક હેલિકોપ્ટર થયું ક્રેશ, એક બાળક સહીત પાંચનાં મોત
- કેદારનાથમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે અકસ્માત થયો, પાછળનો ભાગ બ્રેક મારી ગયો
- કેદારનાથ ધામમાં હવામાન બદલાયું, યલો એલર્ટ જારી
- Chardham Yatra- ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થઈ, ગંગોત્રી ધામના દરવાજા ખૂલ્યા, ભક્તોમાં શ્રદ્ધાનું પૂર ઉભરાયું
- Kedarnath Dham: કેદારનાથ ધામના દરવાજા આજે ખુલશે
Kedarnath Helicopter Crash- ગૌરીકુંડમાં અકસ્માત બાદ નવો આદેશ, ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત
Kedarnath Helicpter Crash - આજે ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમો ઘટનાસ્થળે હાજર છે. દરમિયાન, ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અકસ્માત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત
ગૌરીકુંડ જતું એક હેલિકોપ્ટર ક્રેશ થયું, જેના કારણે ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને પણ અસર થઈ છે. અકસ્માત પછી તરત જ, હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી આદેશ આવે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે.
મુખ્યમંત્રીના કડક આદેશો
ઉત્તરાખંડમાં વધી રહેલા હેલિકોપ્ટર અકસ્માતોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કડક આદેશો આપ્યા છે. તેમણે કહ્યું કે 'રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક SOP તૈયાર કરવી જોઈએ, જેમાં ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.' આ ઉપરાંત, હવામાનની સચોટ માહિતી હોવી પણ ફરજિયાત બનાવવી જોઈએ. મુખ્યમંત્રી ધામીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ સમિતિ હેલિકોપ્ટર કામગીરીના તમામ ટેકનિકલ અને સલામતી પાસાઓની સમીક્ષા કર્યા પછી SOP તૈયાર કરશે.
