મંગળવાર, 10 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંચેરિયાલ. , મંગળવાર, 10 માર્ચ 2026 (11:05 IST)

તેલંગાનામાં દર્દનાક દુર્ઘટના, કરંટ લાગવાથી બે જીવતા સળગ્યા

Mancherial
તેલંગાનાના મંચેરિયાલ જીલ્લામાંથી એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહી ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે બે યુવકોના મોત થયા. મળતી માહિતી મુજબ બંને યુવક એક પેટ્રોલ પંપ પાસે હાજર હતા. આ દરમિયાન એક લોખંડનો થાંભલો મેન લાઈનના તાર સાથે અથડાય ગયો. લોખંડનો થાંભલાને અડવાને કારણે ઈલેક્ટ્રિક શૉક ઉતરી આવ્યો અને બંને યુવક કરંટની ચપેટમાં આવી ગયા અને સળગી ગયા. આગમા સળગવાને કારણે યુવકોનુ મોત થઈ ગયુ. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  
 
ઇલેક્ટ્રિક શોક: મંચેરિયાલ જિલ્લામાં વીજળીનો કરંટ લાગવાથી બે યુવાનોના મોત. આ ઘટના મંચેરિયાલ જિલ્લાના દાંડેપલ્લી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. આ દુ:ખદ ઘટના મુનચારામ અને મદારીપેટ ગામોમાં બની હતી, જ્યાં બે યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા અને વીજળીના કરંટથી મૃત્યુ પામ્યા હતા.
 
બે યુવાનો બળીને થયા ખાખ 
અહેવાલો અનુસાર, મદારીપેટમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે વીજળીનો કરંટ લાગવાથી બે યુવાનોના મોત થયા હતા. મૃતકોની ઓળખ તે જ ગામના સલ્લા લક્ષ્મીનારાયણ અને વેલ્નુરુ ગામના નાગરાજુ તરીકે થઈ છે. એવું કહેવાય છે કે આ ઘટના ત્યારે બની જ્યારે લોખંડનો થાંભલો મુખ્ય વીજ લાઇન સાથે અથડાયો, જેના કારણે બંને પુરુષોને વીજળીનો કરંટ લાગ્યો.
 
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે 
ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, બંને યુવાનો વીજળીનો કરંટ લાગ્યા બાદ સળગતા જોઈ શકાય છે. જોકે, વીડિયો એટલો ભયાનક છે કે તેને બતાવી શકાતો નથી. વીજળીનો કરંટ લાગતા બે યુવાનોના મોતથી આ વિસ્તારમાં શોક છવાઈ ગયો છે, અને સ્થાનિક રહેવાસીઓ પણ આ ઘટનાથી આઘાતમાં છે.