1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. throw stones at Thane ganesh statue

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

Nuh
Thane violence- મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બનાવવામાં આવ્યો હતો, મહોલ્લા કમિટી અને પોલીસ બેસીને ગણેશ મંડળનું સ્વાગત કરી રહ્યા હતા.

રાત્રિના 12 વાગ્યાના સુમારે ઘુઘટ નગરમાંથી નદીમાં વિસર્જન માટે કામવરી નદીમાં લઈ જવામાં આવી રહી હતી. આરોપ છે કે જ્યારે ભગવાન ગણેશની મોટી મૂર્તિ વણજરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક યુવકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પ્રતિમા તૂટી ગઈ હતી.
 
આ પછી મંડળના લોકોએ સ્થળ પર જ હંગામો મચાવ્યો હતો. દરમિયાન એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. મૂર્તિને તોડી પાડવા અંગે મંડળના લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી તમામ પથ્થરબાજો પોલીસના હાથે નહીં પકડાય ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં.
ये भी पढ़ें
PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો