શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (09:04 IST)

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

ગુરૂવારે રાત્રે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના બોટાપથરીમાં ભારતીય સેનાના વાહન ઉપર ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, આ ગોળીબારમાં બે સૈનિક અને બે હમાલ સહિત ચારનાં મૃત્યુ થયાં છે. સૈનિકોએ વળતો ગોળીબાર કરીને આ હુમલાનો જવાબ આપ્યો હતો.
 
જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે હુમલાને 'શક્ય એટલા કડક શબ્દોમાં' વખોડી કાઢ્યો હતો અને તાજેતરમાં વધી રહેલા હુમલાઓ ઉપર ચિંતા પ્રગટ કરી હતી. આ સિવાય મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
 
રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ ટ્વિટ કરીને હુમલાને હીચકારું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે 'આતંકવાદીઓ'નો સફાયો કરવા માટે નિર્દેશ આપ્યા હોવાની વાત કહી હતી. આ સિવાય તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો જલ્દીથી સાજા થાય એના માટે કામના કરી હતી.