સંબંધિત સમાચાર
- અમદાવાદની રથયાત્રાની સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ
- હાઈકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લેતાં કહ્યું શિક્ષણનું સ્તર સુધારો
- Interesting Facts - જાણો જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા
- અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ
- કોંગ્રેસની અરજી બાદ અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટે નોટીસ ફટકારી
મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું, અલ્પેશ ઠાકોરનું હાઈકોર્ટમાં સોગંધનામું
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે, તેણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી. કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહિં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
