સંબંધિત સમાચાર
- અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: મધુર ડેરીના નવા પ્લાન્ટ અને આઈ.ટી. પાર્કનું ઉદ્ઘાટન સહિત વિવિધ બેઠકોમાં આપશે હાજરી
- LIVE: સતત બીજીવાર આસામના CM બન્યા હિમંતા બિસ્વા સરમા, સાથે જ 4 મંત્રીઓએ પણ લીધા શપથ
- Suvendu Adhikari Oath Ceremony LIVE Updates: શુભેન્દુ અધિકારીએ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, હવે બંગાળમાં દાદાની સરકાર છે, દીદીની નહીં
- Suvendu Adhikari New CM - શુભેન્દુ અધિકારી જ બનશે પશ્ચિમ બંગાળના આગામી CM, જાણો તેમને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવાના મુખ્ય કારણો
- શું બંગાળને આજે નવો મુખ્યમંત્રી મળશે? દાવેદારીમાં કયા નામ પર શાહની મંજૂરીની મહોર લાગશે?
અમદાવાદ-ગાંધીનગરની બેઠકોમાં વ્યસ્ત રહ્યા અમિત શાહ, વિકાસથી લઈને આધ્યાત્મિક સાહિત્ય પ્રસાર સુધી આપ્યું માર્ગદર્શન
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે તેઓ સતત કાર્યરત રહી રાજ્યને નવી દિશા આપતા રહ્યા છે.
આજે અમદાવાદ ખાતે માનનીય અમિતભાઈની અધ્યક્ષતામાં અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તેમણે ગીતા, રામાયણ તથા અખંડ આનંદ જેવા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સાહિત્યના વધુ વ્યાપક પ્રસાર અંગે માર્ગદર્શન આપ્યું.
તે ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર યોજાયેલી બેઠકોમાં સહભાગી બની તેમનું અમૂલ્ય માર્ગદર્શન મેળવવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય શ્રી અમિતભાઈએ રમશે બાળક - ખીલશે બાળક અભિયાનના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે ચર્ચા કરીને જરૂરિયાતમંદ બાળકો સુધી રમકડાં પહોંચાડવાની આ અનોખી પહેલને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
