1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:27 IST)

Education Policy- ધો.10-12ના બોર્ડ પરિણામથી અસંતોષ હશે તો બે તક મળશે,

exam
શિક્ષણક્ષેત્રમાં સુધારો કરવા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી છે અને આ નીતિનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણનીતિ મુજબ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા યથાવત્ જ રહેશે, પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે એ માટે પરીક્ષા આપવાની બે તક આપવામાં આવશે. આ બે તક આપવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

પરંતુ આ તક કેવી રીતે આપશે એનો વિસ્તારપૂર્વક કોઈ ઉલ્લેખ નથી. એને લઈને નિષ્ણાત શિક્ષકો અને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મુકાયો છે કે પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી?