સંબંધિત સમાચાર
- Corona Update Gujarat - કોરોના કેસમાં સતત ઘટાડો. આજે નોંધાયા 138 નવા કેસ
- શનિવારથી ગુજરાતને મળી શકે વધુ છૂટછાટ, નાઇટ કર્ફ્યુંથી માંડીને સ્કૂલો માટે લેવાશે નિર્ણય
- અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, હજી બે દિવસ વરસાદની આગાહી
- Sharad Pawar સાથે વિપક્ષી નેતાઓની મોટી બેઠક, PM Narendra Modi વિરુદ્ધ ત્રીજા મોરચાની તૈયારી ?
- કોરોના પર કાબૂ: આજે 151 નવા કેસ નોંધાયા, માત્ર 02 મોત નોંધાયા
ગુજરાતે કોરોનાને કર્યો કાબૂમાં, આજે નોંધાયા 129 નવા કેસ, 2ના મોત
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 507 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,08,418 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.24 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 4427 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 લોકો સ્ટેબલ છે. 8,08,418 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,042 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને જુનાગઢમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 4,44,656 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

