સંબંધિત સમાચાર
- આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
- અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી
- રુપાલની પલ્લીને લઇ મોટી રાહત
- દેશના 10 શહેરોમાં 82 રૂટ પર એર કોરિડોર બનશે. જાણો કયા શહેરોમાં શરૂ થશે હેલી સર્વિસ...
- દોઢ વર્ષના બાળક માટે 100 પોલીસકર્મી તપાસમાં જોડાયા, 65 સીસીટીવી ફંફોળ્યા, 45 ગામમાં પૂછપરછ કરી, કોટાથી મળ્યો પિતા
ગીર-સોમનાથમાં સોમકમલમનું કર્યું ઉદઘાટન: સીઆર પાટીલે કહ્યું- 2022 માં યોગ્ય ઉમેદવારને જ મળશે ટિકીટ
સોમનાથ સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે ભૂમિભૂજન કરવામાં આવ્યું. આ પહેલાં જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનના કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું. આ કાર્યાલયને ગીર સોમનાથને ગીર સોમનાથ ભાજપ તરફનું નામ આપવામાં આવ્યું છે. કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તેના ભૂમિપૂજનના અવસર પર સીઆર પાટીલે 2022 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું કે 2022 માં લાયક ઉમેદવારને જ ભાજપ પાસે ટિકીટ મળશે. જ્યારે આ દરમિયાન કોઇ પોતાના રિલેશનશિપમાં ટિકિટ પ્રાપ્ત કરે છે તો આ વાત ભૂલવી ન જોઇએ. આ કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે હવે સચિવાલયમાં કોઇ રોકાશે નહી અને કોઇની સાથે કોઇ પરેશાની રહેશે નહી. તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 સીટો જીતવાનો દ્વઢ નિશ્વય કરી અત્યારથી કામમાં જોડાવવાનું આહવાન કર્યું.
