સંબંધિત સમાચાર
- અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી
- અરબી સમુદ્રમાં હજી ભેજનું પ્રમાણ હોવાથી નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
- Weather in navratri- હવામાન વિભાગની આગાહી: વાતાવરણમાં આવી શકે છે પલટો, નવરાત્રિમાં 'રેન ડાન્સ' રાખજો તૈયારી
- Weather update- રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, અમદાવાદમાં મંગળવારથી ગરમી વધવાની શક્યતાઓ
- શાહિન વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હજી અતિભારે વરસાદની સંભાવનાઓ
આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
અમદાવાદમાં બે દિવસ , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ 3 દિવસ વરસાદી ઝાપટાંની આગાહી • રાજ્યમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે • અમદાવાદમાં શનિવારે મણિનગર , સીટીએમ , જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે . ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા . ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે . આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે . રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે .
આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે.
