સંબંધિત સમાચાર
- ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ... મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું - અમે લોહીના દરેક ટીપાનો બદલો લઈશું
- Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ
- GSEB SSC Result: ગુજરાત બોર્ડના ધોરણ 10 નું પરિણામ જાહેર, 83.08 ટકા વિદ્યાર્થીઓ પાસ, પરિણામ જોવા ક્લિક કરો
- 8 મેં નું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા
- KKR vs CSK:ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી.
ગુજરાત બોર્ડર પાસે ડ્રોન પડવાના સમાચાર, થયો બ્લાસ્ટ, સોર્સની થઈ રહી છે તપાસ
drone blast
કચ્છ - ગુજરાતના કચ્છમા ભારત પાકિસ્તાન સીમા નિકટ એક શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ એક શંકાસ્પદ ડ્રોન હાઈ ટેંશન વીજળી લાઈન સાથે અથડાયો જેને કારણે બ્લાસ્ટ થયો છે. ઘટના સવારે લગભગ 6 વાગે ખાવડા ઈંડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની છે.
તપાસ શરૂ થઈ
પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. આ ડ્રોન પાકિસ્તાન તરફથી સરહદ પારથી આવ્યું છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તેનો કાટમાળ એકઠો કરવામાં આવ્યો છે અને તેનો સ્ત્રોત ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક વલણ અપનાવી રહ્યું છે. ભારતે મંગળવાર-બુધવારની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારતના આ હુમલાથી પાકિસ્તાન ગુસ્સે છે અને સતત ધમકીઓ આપી રહ્યું છે.
આવી સ્થિતિમાં, આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે કે નહીં તે પણ આ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન એલઓસી પર સતત ગોળીબાર કરી રહ્યું છે. ગુરુવારે પણ પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ગોળા અને મોર્ટાર છોડ્યા હતા. ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા, 6-7 મેની રાત્રે, ભારતે મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો પણ માર્યા ગયા છે. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો ઉપરાંત 4 નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા.
