સંબંધિત સમાચાર
- ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 : 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો 'માસ્ટર પ્લાન' તૈયાર
- GUJCET 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે પરીક્ષા યોજાશે
- ઘોરણ 12 નું પરિણામ જાહેર - સાયન્સનુ 83.51 ટકા અને કોમર્સનુ 93.07 ટકા પરિણામ જાહેર, પરિણામ જાહેર થતા જ વેબસાઈટ ક્રેશ
- GSEB 12th Result 2025: આજે ધો.12 નું પરિણામ, આ રીતે ચેક કરો તમારુ રિઝલ્ટ
- GSEB 12th Result 2025, Gujarat Board HSC Result: આજે જાહેર થશે ગુજરાત બોર્ડ ધોરણ 12 નું પરિણામ
GUJCET 2026: રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી
GUJCET Exam in Surat
રાજ્યભરમાં પરીક્ષાનો માહોલ અને સુરતની વિશેષ તૈયારી આજે સમગ્ર ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની મહત્વની ગણાતી ગુજકેટ (GUJCET) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.
101 બિલ્ડિંગ અને 1008 બ્લોકમાં પરીક્ષાનું સંચાલન સુરત
જિલ્લામાં પરીક્ષાના આયોજન માટે કુલ 101 બિલ્ડિંગો નક્કી કરવામાં આવી છે, જેમાં 1008 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. આ કેન્દ્રો પર કુલ 20,114 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ મહત્વની કસોટી આપી રહ્યા છે. પરીક્ષાની પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે.
ત્રણ તબક્કામાં લેવાશે વિવિધ વિષયોની પરીક્ષા
ગુજકેટની પરીક્ષાનું આયોજન કુલ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. સવારના પ્રથમ સત્રમાં 9:00 થી 12:00 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પેપર લેવામાં આવશે. ત્યારબાદ બપોરે 01:40 થી 02:40 વાગ્યા સુધી જીવવિજ્ઞાન (Biology) અને અંતિમ તબક્કામાં સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન ગણિત (Maths) વિષયની પરીક્ષા લેવામાં આવશે.
ગેરરીતિ રોકવા ચુસ્ત સુરક્ષા અને સ્પેશિયલ સ્ક્વોડ
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો પર કડક તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાસ 'સ્પેશિયલ સ્ક્વોડ' તૈનાત કરવામાં આવી છે જે સતત કેન્દ્રો પર નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા અને ચુસ્ત નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓની તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી પરીક્ષાની ગરિમા જળવાઈ રહે.
