બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 (12:10 IST)

કોણ છે IAS રાજેન્દ્ર કુમાર પટેલ ? જેમની ED રેડ પછી જતી રહી કલેક્ટરની ખુરશી, હવે ACB મજબૂત કરી પકડ

rajendra patel ias gujarat
rajendra patel ias gujarat
 ગુજરાતમાં બે દિવસ પહેલા સુધી સુરેન્દ્રનગર કલેક્ટર ની જવાબદારી સાચવી રહેલા આઈએએસ ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે.   ભ્રષ્ટાચારના એક કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ, ગુજરાત સરકારે પટેલને કલેક્ટર પદ પરથી દૂર કર્યા હતા. ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ IAS અધિકારી અને સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પટેલ સામે કેસ દાખલ કર્યો છે. ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ફરિયાદના આધારે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્રકુમાર પટેલ અને અન્ય ત્રણ લોકો સામે FIR દાખલ કરી છે.
 
લાંચ કેસમાં કલેક્ટર પકડાયા
2015 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પટેલની બુધવારે લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં સુરેન્દ્રનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ પદ પરથી બદલી કરવામાં આવી હતી. ED દ્વારા ચંદ્રસિંહ મોરીની તેમની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ પટેલની બદલી કરવામાં આવી હતી, અને તેમને નવી પોસ્ટિંગ આપવામાં આવી નથી. એસીબીના જોઈન્ટ ડિરેક્ટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, "ઇડીની ફરિયાદના આધારે, અમે 23 ડિસેમ્બરે પટેલ, તેમના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને મહેસૂલ અધિકારી ચંદ્રસિંહ મોરી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી," 
 
67.50 લાખ કેશ જપ્ત 
23  ડિસેમ્બરના રોજ, ED એ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં તૈનાત મહેસૂલ અધિકારી ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૂ. 67.50  લાખ જપ્ત કર્યા અને લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી. બુધવારે મોરીને અહીંની એક ખાસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેમને 1  જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. ED એ દાવો કર્યો હતો કે મોરીએ સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ રકમ તેમણે અરજદારો પાસેથી સીધી અને મધ્યસ્થી દ્વારા કાયદાકીય જમીન-ઉપયોગ અરજીઓની ઝડપી અથવા અનુકૂળ પ્રક્રિયા માટે લીધી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રિપોર્ટ દાખલ કર્યા પછી, એજન્સી મોરી અને અન્ય લોકો સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ કૌભાંડે ગુજરાતના અમલદારશાહીને હચમચાવી નાખી છે. વધુમાં, આ બેચના અન્ય IAS અધિકારીઓ પણ તપાસ હેઠળ આવ્યા છે. હાલમાં, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 2015 બેચના IAS અધિકારીઓ કાર્યરત છે.
 
કોણ છે ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલ ?
ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલ, 2015  બેચના IAS અધિકારી, અમદાવાદ જિલ્લાના વતની છે. 23  ઓગસ્ટ, 1985 ના રોજ જન્મેલા રાજેન્દ્ર કુમાર 7  સપ્ટેમ્બર, 2015  ના રોજ સિવિલ સર્વિસમાં જોડાયા હતા. સરકારે આ વર્ષે 4  ફેબ્રુઆરીએ પટેલને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. રાજેન્દ્ર કુમાર પટેલ પાસે બીડીએસ અને જાહેર નીતિમાં એમએની ડિગ્રી છે.