સંબંધિત સમાચાર
- અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના 4500 જેટલા કેસ, એડિસ ઈજીપ્સી મચ્છરનો તમામ વિસ્તારમાં ઉપદ્રવ
- ઉપવાસના સાતમો દિવસે કનુભાઈ કળસરિયાએ હાર્દિક સાથે કરી મુલાકાત
- રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર
- સરસ્વતીના ઘામમાં તમામ મર્યાદાઓ તૂટી. ચાલુ શાળામાં ફાયરિંગ કરીને શિક્ષકના અપહરણનો પ્રયાસ
- India vs England 4th test: વિરાટ કોહલીની કેચમાં ડબલ સેંચુરી, સચિન-દ્રવિડ સાથે જોડાયા વિશેષ ક્લબમાં
પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લેતાં હોસ્પિટલમાં ખસેડાયાં
પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અટફેટે લેતા તેમના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર નિવાસ સ્થાનથી પાટણના સાંસદ લીલાધર વાઘેલા સવારે વોકિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં જતી ગાયે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગર ખાતે સેક્ટર-21માં તેમના ઘર બહાર જ તેમને એક ગાયે અડફેટે લીધા હતા. સાંસદ વાઘેલાને સારવાર માટે ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તબીબોના ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પાંસળીઓમાં ફેકચર હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલતા પાટણના સંસદ લીલાધર વાઘેલા તોફાની મૂડમાં છે. લીલાધર વાઘેલાએ વિધાનસભામા પણ પોતાના પુત્ર માટે ટીકીટની જીદ કરી હતી. લીલાધરભાઇ આ વલણથી ભાજપમાં ગરમાવો આવી ગયો છે. ગત મહિને તેમણે તેમની લાગણી જાહેર કરી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે, હું બનાસકાંઠામાંથી લોકસભા ચૂંટણી લડીશ.
