સંબંધિત સમાચાર
- અમદાવાદની પરિણીતાને વિદેશી સાથે ચાર મહિનાનો પ્રેમ 7.50 લાખ રૂપિયામાં પડ્યો!
- અમરાઈવાડી બેઠક પર ભાજપના નેતાઓ ટિકિટ ન મળતા હવે પ્રચાર કરવાનું પણ ટાળી રહ્યા છે.
- જાણો કેમ વડોદરામાં શાળાના હજારો બાળકોને ભોજન નહીં મળે
- UP: સિલિન્ડરના વિસ્ફોટથી ત્રણ મકાનો ધરાશાયી, 11 લોકોનાં મોત, બચાવ કામગીરી ચાલુ છે
- સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની શકે, જય શાહ સચિવની રેસમાં
નળસરોવરમાં 18 મહિના બાદ હવે સહેલાણિઓ બોટિંગની મજા માણી શકશે
નળ સરોવરમાં આશરે 18 મહિના બાદ રવિવારથી બોટિંગ શરૂ થયું છે. ગત વર્ષે દિવાળી વખતે સરોવરમાં પાણી ઓછું હતું. જ્યારે માર્ચ 2019માં સરોવર સાવ ખાલી થઈ ગયું હતું. જેના કારણે બોટિંગ ઘણાં સમયથી બંધ જ હતું. જોકે, ત્યારબાદ આ ચોમાસમાં ભારે વરસાદના કારણે સરોવરમાં 7થી 7.50 ફૂટ પાણી ભરાયું છે. જેના કારણે અહીં બોટિંગ ફરીથી શરૂ થતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ સરોવર 11 ફૂટ ઉપર જાય તો ઓવરફ્લો થાય છે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
