ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (11:39 IST)

પરિવારને સહાય માટે ખેડૂતે પહેલા મરવું પડે તેવા પ્રકારની ગુજરાત સરકારની જાહેરાત

ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને અકસ્માત દરમિયાન શરૂ કરાયેલી સરકારી સહાયની યોજનામાં વધારો કરવામાં આવ્યો હતો 1 લાખ સહાયને વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી હતી. આ યોજનાથી રાજ્યના 2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે. સાથે જ વારસદારના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા હતાં