મંગળવાર, 31 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2026 (13:06 IST)

સુરતના લિંબાયતમાં એક મકાનમાં ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત

સુરત સમાચાર
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રહેણાંક વિસ્તાર હોવાથી અને મકાનો એકબીજાની નજીક હોવાથી બચાવ કામગીરીમાં શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે.
 
ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પણ આ મામલે પંચનામું કરી તપાસ તેજ કરવામાં આવી છે. એકાએક લાગેલી આ આગે હસતા-રમતા પરિવારના સભ્યોને મોતના મુખમાં ધકેલી દેતા સમગ્ર સુરત શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે.