સંબંધિત સમાચાર
- શ્રી હેમકુંડ સાહેબ ગયેલા પંજાબના એક વ્યક્તિ સાથે મોટી ઘટના
- રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના 4 સીસીટીવી ફૂટેજમાં આગ કેવી રીતે લાગી તેનો ખુલાસો થયો
- વાવાઝોડું 'રેમલ' નબળુ પડી ગયુ, બંગાળના કાંઠે 135KMની ઝડપે ત્રાટક્યું
- Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો
- હવામાન વિભાગ દ્વારા આગાહી, તા. 25થી 27 ગુજરાતના આ વિસ્તારોમાં કાળઝાળ ગરમી
ટીઆરપી ગેમ જોન દુર્ઘટના પછી એક્શન મોડમાં સરકાર, 6 અધિકારી સસ્પેંડ
રાજકોટ. ટીઆરપી ગેમ જોનમાં આગ લાગ્યા બાદ 27 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં સરકાર સતત એક્શન મોડમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે કાર્યવાહી કરતા નગર નિગમના નગર નિયોજક અને નગર અભિયંતાને સસ્પેંડ કરી દીધા હતા. ત્યારબાદ પથ નિર્માણ વિભાગના ઉપ અભિયંતાને પણ સસ્પેંડ કરવામાં આવ્યા. બીજી બાજુ રાજકોટ પોલીસ વિભાગે બે ઈસ્પેક્ટરને પણ સસ્પેંડ કર્યા છે. ત્યારબાદ જ માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક એંજિનિયરને પણ સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. આ રીતે અત્યાર સુધી આ અગ્નિકાંડમાં 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.
#Newsupdate
— Nirnay Kapoor (@nirnaykapoor) May 27, 2024
राजकोट अग्निकांड मामले पर एक्शन में गुजरात सरकार
राजकोट शहर के 6 अधिकारी निलंबित*
नगर निगम के असिस्टेंट टाउन प्लानर एवं सिटी इन्जीमियर एवं पि डब्ल्यू डी विभाग के डेप्युटी इंजिनियर तथा एग्ज़िक्युटिव इंजिनियर को सस्पेंड किया गया
राजकोट पुलिस विभाग के दो पुलिस…
મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમિંગ જોનમાં આગ લાગવાની ઘટના પછી 27 લોકોનુ જીવતા સળગીને મોત થઈ ગયુ હતુ. બીજી બાજુ આગ એટલી ભયાનક હતી કે આ દુર્ઘટનામા જીવતા બળી જનારા લોકોની ઓળખ કરવી મુશ્કેલ હતી. દુર્ઘટના પછી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ સંપૂર્ણ ઘટનાને મોનીટર કરી રહ્યા છે. દુર્ઘટના પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ગૃહ મંત્રી સાથે સાથે દુર્ઘટના સ્થળ પર ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અ સાથે જ તેમણે આ મામલા દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત પણ કરી હતી.
#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb
— ANI (@ANI) May 26, 2024
ટીઆરપી ગેમ જોન પાસે નથી ફાયર એનઓસી
બીજી બાજુ દુર્ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. સીસીટીવી ફુટેજમાં જોવાથી જાણ થાય છે કે એક્સટેંશન એરિયામાં વેલ્ડિંગને કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ત્યા હાજર ફાયર એક્સટિંગયુશર્સ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. પણ આગ એટલી વધી ગઈ કે તેના પર કાબુ ન મેળવી શકી. બીજી બાજુ તપાસમાં જાણ થઈ છે કે ટીઆરપી ગેમ જોન પાસે ફાયર એનઓસી પણ નથી. સ્ટેડિંગ કમિટી ચેયરમેન જૈમિન ઠાકરે કહ્યુ કે જે પણ આ માટે જવાબદાર હશે તેમને માફ નહી કરવામાં આવે.
