સંબંધિત સમાચાર
- Uttrakhand chamoli-એક અઠવાડિયા પછી ટનલની અંદરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા, સર્ચ ઓપરેશન તીવ્ર બન્યું
- ઉત્તરાખંડ આપદા - તપોવનની ટનલમાં હજુ પણ 35 લોકો ફસાયા, ચમોલીમાં 9 રાજ્યોના 197 લોકો ગાયબ
- ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાય
- Uttarakhand Glacier Burst - ટનલમાં 80 મીટર સુધી મલબા હટાવ્યો, લગભગ 202 લોકો લાપતા, 19 લાશ જપ્ત
- ઉત્તરાખંડમાં આ 'પ્રલય' આવવાનું સાચું કારણ શું છે?
ઉત્તરાખંડ - તીરથ સિંહ રાવત બનશે નવા સીએમ, સાંજે 4 વાગે લેશે શપથ
તિરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનશે. દહેરાદૂનમાં વિધાનસભા પક્ષની બેઠકમાં તેઓ નવા નેતા તરીકે ચૂંટાયા હતા. તીરથસિંહ રાવત ગઢવાલના સાંસદ છે, તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે ત્રિવેન્દ્રસિંહ રાવતના રાજીનામાથી ઘણા નામોની ચર્ચા થઈ રહી હતી, પરંતુ વિધાનસભા પક્ષની બેઠકમાં તીરથસિંહ રાવતના નામ પર મહોર લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
તિરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનશે
તિરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનશે. દહેરાદૂનમાં વિધાનસભા પક્ષની બેઠકમાં તેઓ નવા નેતા તરીકે ચૂંટાયા હતા. તીરથસિંહ રાવત ગઢવાલના સાંસદ છે, તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
સાંસદ સહિત કેબિનેટ મંત્રી ભાજપ વિધાનસભાની બેઠકમાં સામેલ
ભાજપ કાર્યાલયમાં યોજાયેલી વિધાનસભાની બેઠકમાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, યશપાલ આર્ય, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ધનસિંહ રાવત અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો રમેશ પોખરીયલ નિશાંક, તીરથસિંહ રાવત અને નૈનિતાલના સાંસદ અજય ભટ્ટ ઉપસ્થિત છે. જોકે બેઠકમાં રાજ્યસભા સાંસદ અનિલ બાલુનીએ હાજરી આપી નથી.
