1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા

શું અશ્વથામા જીવીત છે?

શું અશ્વથામા જીવીત છે
W.DW.D
અસીરગઢનો કિલ્લો....રહસ્યમય કિલ્લો.....કહેવાય છે. અહીં સ્થિત શિવમંદિરમાં મહાભારતકાળના અશ્વથામા આજ પણ પૂજા પાઠ કરવા આવે છે. આ ઉડતી વાતને સાંભળ્યા પછી અમે નક્કી કર્યું કે સૌથી પહેલા આ જ કિલ્લાના રહસ્યોને ખોદીશુ....અને જોઈશુ કે આ અફવા ક્યાં સુધી સાચી છે. અસીરગઢનો કિલ્લો, બુરહાનપુર શહેરથી 20 કિલોમીટર દૂર છે. કિલ્લા પર ચઢતા પહેલાં અમે કિલ્લાની આસપાસ રહેવાવાળા મોટા-વડીલો પાસેથી આ વિશે જાણકારી મેળવી.

દરેકે અમને કિલ્લા સંબંધી ચિત્ર-વિચિત્ર વાર્તા સંભળાવી. કોઈએ કહ્યું 'તેમના દાદાએ તેમને કેટલીવાર ત્યાં અશ્વથામાંને જોયાનો કિસ્સો સંભળાવ્યો છે.' તો કોઈએ કહ્યું - 'જ્યારે તે માછલી પકડવાં ત્યાંના તળાવે ગયા હતા ત્યારે તેમને કોઈએ જોરથી ધક્કો માર્યો હતો. ધક્કો મારનારને કદાચ મારું ત્યાં આવવું પસંદ ન પડ્યું.' ગામનાં કેટલાય વડીલોની વાતો આવા જ કિસ્સાઓથી ભરેલી હતી.

કોઈનુ કહેવું હતું કે ' જે એકવાર અશ્વથામાંને જોઈ લે છે તેનું માનસિક સંતુલન બગડી જાય છે. વડીલો જોડે ચર્ચા કર્યા પછી અમે અસીરગઢના કિલ્લા તરફ ફર્યા. આ કિલ્લો આજે પણ પાષાણયુગમાં જ રહેતો હોય તેવો લાગે છે. વીજળીના યુગમાં અહીંની રાત્રીઓ અંધારામાં ડૂબેલી રહે છે. સાંજે છ વાગ્યાથી કિલ્લામાં વ્યાપેલો અંધકાર 'ભૂત'નું રૂપ લઈ લે છે. આ સૂમસામ કિલ્લા પર ચઢતી વખતે કેટલાક ગામવાળા અમારી સાથે થઈ ગયા.

અમારા આ સફરના સાથી હતા, ગામના સરપંચ હારુન બેગ, ગાઈડ મુકેશ ગઢવાલ અને બે-ત્રણ સ્થાનીય લોકો. અમારી ઘડીયાળનો કાંટો સાંજના છ વગાડી રહ્યો હતો. લગભગ અડધા કલાકની પગપાળાં ચઢાણ કર્યા પછી, અમે કિલ્લાના બહાર મોટો દરવાજો ખખડાવ્યો. દેખીતું છે, કિલ્લાનો દરવાજો ઉઘાડો હતો. અમે અંદરની બાજુ પલટ્યા. લાંબા ઘાસના વચ્ચે જંગલી છોડ ને સરકાવતા અમે આગળ વધી રહ્યા હતા. ત્યારે જ અમારી નજર કેટલીક કબરો પર પડી. એક નજર જોતાં કબરો બહું જૂની લાગી. સાથે આવેલા ગાઈડ મુકેશે બતાવ્યું કે આ અંગ્રેજોના સૈનિકોને કબરો છે.
W.DW.D


થોડી વાર સુધી અહીં રોકાયા પછી અમે આગળ વધતાં ગયા. અમને ટુકડાંઓમાં વહેંચાયેલુ એક તળાવ જોયું તળાવને જોતાંજ મુકેશે બતાવ્યું કે, આ જ તો તે તળાવ છે જેમાં સ્નાન કરીને અશ્વથામા શિવમંદિરમાં પૂજા-પાઠ કરવા જાય છે, ત્યાંજ કેટલાંક લોકોનું કહેવું હતુ કે ' નહી તે 'ઉતાવળી નદી' માં સ્નાન કરી પૂજા માટે અહીં આવે છે.' અમે તળાવને ઘ્યાનથી જોયું. લાગતું હતું કે પહાડોથી ઘેરાયેલી આ જગ્યા પર વરસાદનું પાણી જમા થઈ જાય છે. સફાઈ ન થવાના કારણે આ પાણી લીલું દેખાય છે, પણ આશ્ચર્યની વાત તો એ હતી કે બુરહાનપુરની તપતી ગરમીમાં પણ આ તળાવ સુકાતુ નથી.
W.DW.D

કેટલાક ડગલાં આગળ ભર્યા પછી, અમને લોખંડના બે મોટા એંગલ જોવા મળ્યા. ગાઈડે બતાવ્યું કે આ ફાંસીઘર છે. અહીં ફાંસીની સજા આપવામાં આવતી હતી. સજા પછી મડદું આમ જ લટકી રહેતું હતુ. છેલ્લે નીચે બનેલી ખાઈમાં તેનું હાંડપિંજર પડી જતું હતુ. આ સાંભળી અમારા બધાના રૂવાટાં ઉભાં.થઇ ગયાં.

W.D
અમે અહીંથી આગળ વધવુ જ યોગ્ય માન્યું. અમે થોડા આગળ વધ્યા હતા કે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવાં મળ્યુ. મંદિર ચારેબાજુથી ખાડીઓથી ઘેરાયેલું હતું. અફવાઓના મુજબ આ જ ખાડીઓમાંથી કોઈ એકમાં ગુપ્ત રસ્તો બનેલો છે, જે ખંડવ વન (ખંડવા જિલ્લો)થી થઈને સીધો આ મંદિરમાં નીકળે છે. આ જ રસ્તે થઈને અશ્વથામાં મંદિરમાં આવે છે. અમે મંદિરમાં દાખલ થયા. અહીંની સીડીયો ગોળાકાર હતી. અને ચારેબાજુ ખીણ બનેલી હતી. જરાંક ભૂલથી અમે ખીણમાં પડી શકતાં હતા. ખૂબ જ સાવધાનીથી અમે મંદિરમાં દાખલ થયા. મંદિરને જોઈને એવું લાગી રહ્યું હતુ કે ભલે આ મંદિરમાં કોઈ અજવાળું અને આધુનિક વ્યવસ્થા ન હોય, અહીં કોઈ પક્ષી પણ ફડકતું ન હોય, પણ પૂજા બરાબર થઈ રહી છે. ત્યાં નારીયેળના ટુકડાં જોવા મળ્યા. શિવલિંગ પર ગુલાલ ચઢાવેલો હતો. અમે આખી રાત અહીં જ ગાળવાનું નક્કી કરી લીધુ. હમણાં રાતના બાર વાગ્યા હતા. ગાઈડ મુકેશ અમેને નીચે ઉતરવાની વિનંતી કરવા લાગ્યો. તેણે કહ્યું અહીં રાત ગાળવી યોગ્ય નથી, પણ અમારા દબાણના કારણે તે પણ અમારી સાથે જ રોકાઈ ગયો.

આ સુમસામ જગ્યા પર રાત ભયાનક લાગી રહી હતી. એવું લાગતું હતુ કે ખબર નહીં સમય કેવી રીતે વીતશે. ઘડિયાળનો કાંટો બે પર પહોચ્યોં કે તાપમાન એકદમ ઓછુ થઈ ગયુ. બુરહાનપુર જેવા વિસ્તારમાં જૂનની તપતી ગરમીમાં આટલી ઠંડી. મને યાદ આવ્યુ કે મેં એવું વાચ્યું હતુ કે ' જ્યાં આત્માઓ આજુબાજુ હોય છે, ત્યાનું તાપમાન એકદમ ઠંડુ થઈ જાય છે.' શુ અમારી આજુબાજુ પણ એવું જ કંઈક હતુ ? અમારા કેટલાક મિત્રો ડરવા માંડ્યા. અમે ઠંડી અને બીક બંનેને ભગાડવા તાપણી સળગાવી લીધી.

આજુબાજુનું વાતાવરણ એકદમ ભયભીત થઈ ગયું હતુ. વૃક્ષો પર રહેતા કીડાંઓ વિચિત્ર અવાજો કાઢી રહ્યાં હતા. ખાલી ખંડેરોને ટકરાવી હવા સૂ..સૂ.. કરી રહી હતી. સમય ધસડાઈને કપાઈ રહ્યો હતો. ચાર વાગ્યાકે આકાશમાં ઝાંખી લાલિમાં દેખાઈ રહી હતી.
W.DW.D


સવાર થવાની તૈયારી હતી. સાથે આવેલા સરપંચ હારુન બેગે સલાહ આપી કે બહાર જઈને તળાવ જોવું જોઈએ. જોઈએ કે ત્યાં કોઈ છે ? અમે બધા તળાવ તરફ નીકળી પડ્યા.

કેટલીક વાર સુધી અમે તળાવને જોતા રહ્યા. અહીં-તહીં ફરીને કિલ્લાની તપાસ કરી. અમને કશું પણ જોવા ન મળ્યું. સવારનું આછુ અજવાળું બધી બાજુ ફેલાવવાં માંડ્યુ. અમે બધા મંદિરની તરફ ફર્યા. પણ આ શુ, શિવલિંગ પર ગુલાબ ચઢેલા હતા. અમારા આશ્વર્ય નો પાર નહોતો. આ થયું કેવી રીતે ? કોઈની પાસે આનો જવાબ નહોતો. હવે આ સાચુ હતુ કે આ કોઈની મજાક અથવા તો આ ખીણોમાં કોઈ મહાત્મા સાધના કરે છે, આ વિશે કોઈપણ નથી જાણતુ. અને ન તો આ ખાડીઓમાં જતી સુરંગોની જાણ થઈ શકી છે.
W.DW.D


પણ આટલું આવશ્ય છે કે અતીતના કેટલાય રહસ્યો આ ખંડેરના કિલ્લાઓની દીવાલોમાં બંધ છે. જેને ખોદવાની જરૂર છે. ક્યારથી શરુ થઈ આ પરંપરા.

અહીંનો ઈતિહાસ જાણવા માટે અમે સંપર્ક કર્યો ડૉ. મોહમ્મદ શફી (પ્રોફેસર, સેવા સદન મહાવિદ્યાલય, બુરહાનપુર) જોડે . શફી સાહેબે જણાવ્યું કે બુરહાનપુરનો ઈતિહાસ મહાભારતકાળથી જોડાયેલો છે. પહેલાં આ જગ્યા 'ખાંડવ વન'થી જોડાયેલી હતી. કિલ્લાનું નામ અસીરગઢ, અહીંના એક મુખ્ય ઢોર ચરાવનાર આસા અહીરના નામ પર મુકવામાં આવ્યું હતુ.

કિલ્લાનુ આ સ્વરૂપ 1380 ઈસ, માં ફારુખી વંશના બાદશાહઓએ આપ્યું હતુ. જ્યાં સુધી અશ્વથામાંની વાત છે, તો શફી સાહેબનુ કહેવુ છે કે મેં બાળપણથી જ આ અફવઓને સાંભળી છે. માનો તો આ સાચી અને ન માનો તો આ ખોટી. પણ આટલું જરૂર છે કે આ કિલ્લા જોડે કેટલીય સુરંગો જોડાયેલી છે. આ સુરંગોનો બીજો છેડો ક્યાં છે, આ કોઈ નથી બતાવી શકતુ. જ્યાં સુધી આ સુરંગોનું રહસ્ય નહી ઉકેલાય ત્યાં સુધી આ અફવાઓ પરથી પણ પડદો નહી ઉઠે.
W.DW.D



-શ્રુતિ અગ્રવાલ
About Writer
શ્રુતિ અગ્રવાલ