મગની દાળનો શીરો
|
વિધિ - મગની દાળને રાતે પલાળવા મુકી દો. સવારે તેમાંથી પાણી સારી રીતે નીતારી લો. હવે આ દાળને મિક્સરમાં બારીક વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી તપે કે વાટેલી દાળ નાખીને તેને સેકો. દાળને સતત હલાવતા રહેવુ પડશે. જ્યારે દાળ તૈયાર થઈ જશે ત્યારે તેમાંથી ઘી છુટુ પડશે.
દાળ શેકાયા પછી જો તળિયામાં ચોંટે તો થોડુ ઘી ઉમેરો. હવે આ મિશ્રણમાં દૂધ નાખી સતત હલાવતા રહો. દૂધ સુકાય જાય ત્યારે ખાંડ નાખો. ખાંડ ઓગળતા સમય લાગશે. હવે દૂધમાં ઓગાળેલુ કેસર નાખી તેને હલાવો.
આ શીરા પર સુકોમેવો ભભરાવી ગરમા ગરમ પીરસો.
આ શીરો ઠંડીમાં પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે.