સૂરતી ઘારી
|
વિધિ - પહેલા મેંદામાં મોણ નાખીને કઠણ લોટ બાંધી લો. આ લોટને ઢાંકી રાખો.
ભરવા માટે - માવાને ચારણી પર મસળીને ચાળી લો, તેમાં કોપરાનું છીણ, દળેલી ખાંડ, પિસ્તા,બદામ અને ઈલાયચીનો પાવડર, ચારોળી નાખીને સારી રીતે મસળી લો.
મેંદાની એક મોટી લોઈ લઈને તેની પૂરી વણો અને તેમાં 2-3 ચમચી માવો ભરીને કિનારીઓને ઉપર એકબીજા સાથે મેળવીને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી ઘારી તૈયાર કરો.
એક કઢાઈમાં ઘી ગરમ કરી, ઘીમા ગેસ પર ઘારીને ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે ઘારી ઠંડી થાય કે તેના પર ઘી નાખો. આ ઘારીને ચાર ભાગમાં કાપીને સર્વ કરો.
આ વાનગી સુરતમાં વધુ જોવા મળે છે, અને ત્યાંની જાણીતી વાનગી છે.