શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 5 જુલાઈ 2022 (12:15 IST)

Astro Tips- મંગળવારે મસૂરની દાળના ઉપાય અપાવશે દેવામાંથી મુક્તિ માટે અને બનાવશે પોતાનુ ઘર

સામાન્ય રીતે ખાવા માટે અને ચેહરાને સુંદર બનાવવા માટે વપરાતી મસૂરની દાળના અનેક ટોટકા પણ કરવામાં આવે છે. મસૂરની દાળની શીતળતા તમારા ચેહરાને તો રાહત આપે જ છે સાથે જ તેના અનેક ટોટકાના માધ્યમથી તમને ફાયદો થાય છે. આવો જાણીએ મસૂરની દાળના ટોટકા તમને કંઈ કંઈ રીતે લાભકારી સાબિત થશે.
 
દેવામાંથી મુક્તિ માતે લક્ષ્મીજીને સફેદ વસ્તુ જેવી કે ચોખાથી બનેલ ખીર અને દૂધથે બનેલ પકવાનોનો ભોગ લગાવો. 
 
ઉધારીમાંથી મુક્તિ મેળવવા માટે રોજ લાલ મસૂરની દાળનુ દાન કરો તેનાથી ધીરે ધીરે કર્જ ઓછી થઇ શકે છે

મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પણ કરો દાળ દાન કરતા સમયે  ‘ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરતા ચઢાવવી. આ પ્રયોગ 8 મંગળવાર સુધી કરો. સાથે જ હનુમાન મંદિરમાં લાલ ઝંડો લગાવો આવુ કરવાથી કર્જ દૂર થશે. 
 
ઉધારીથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.
જો કોઈ વ્યક્તિ હમેશા બીમાર રહે છે ઉપચાર પછી પણ સાજો નથી થઈ રહ્યો છે તો મસૂરની દાળનો પ્રયોગ તેને રાહત આપશે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તો નીમની નવીન કોપલ, ગોળ અને મસૂરની સાથે વાટીને ખાવાથી વ્યક્તિ નિરોગી રહે છે. 
 
પોતાનુ ઘર નથી બની રહ્યુ કે તમે ઘર બનાવવા માટે પ્લાન કરો છો ત્યારે કોઈ પરેશાની સામે આવે છે તો ઘર બનાવવાના યોગને મજબૂત કરવા માટે મંગળવારે સફેદ ગાય અને તેના વાછરડાને લાલ મસૂરની દાળ અને ગોળ ખવડાવો ફાયદો મળશે