1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (17:02 IST)

ઘરમાં સુખ સમૃદ્ધિ અને પોઝીટિવ એનજ્રીનો થશે વાસ.. જરૂર કરો આ કામ ..

દરેકને કોઈ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. આજે અમે તમને ફેંગશુઈના કેટલાક એવા ઉપાય બતાવીશુ જેનાથી તમારા સંબંધોના તનાવ અને ઘરની નકારાત્મકત ઉર્જા ખતમ થઈ જશે. આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રાખવા માટે ફેંગશુઈના આ અસરદાર ઉપાય... 
 
- બેડરૂમની કોઈપણ વસ્તુને બે ભાગમાં ન વહેંચો.. ભલે એ છત પથારી કે પછી ગાદલા હોય..  તેનાથી ઘરમા ક્લેશની સાથે તનાવ રહે છે. 
 
- બેડરૂમ બાથરૂમ સામે ક્યારેય પણ પથારી ન લગાવો. જો આવુ હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો.. 
 
- બેડરૂમમાં અરીસામાં પથારી દેખાવવી એ પણ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે.  આ ઉપરાંત તેનાથી સંબંધોમાં તકરાર થવાની શક્યતા પણ બની રહે છે. 
 
- સિગલ લોકોએ પોતાના ઘરમાં ક્યારેય  એવી તસ્વીરો ન લગાવવી જોઈએ જે એકલતાને દર્શાવતી હોય. તેનાથી લાઈફમાં નેગેટિવિટીનો પ્રભાવ વધી જાય છે. 
- ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગને હંમેશા સજાવીને મુકો. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે.