Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ બનાવો તમારા ઘરનું Bathroom

શનિવાર, 2 માર્ચ 2019 (17:20 IST)
આજના આધુનિક સમયમાં વાસ્તુ શાસ્ત્રનુ પોતાનુ જુદુ જ મહત્વ છે.  વાસ્તુ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવ્યુ છે કે ઘર બનાવતે વખતે વાસ્તુના નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.  કહેવાય છે કે  જો ઘરને વાસ્તુના હિસાબથી ન બનાવવામાં આવે તો તેમા અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. આવામાં ઘરના કોઈપણ ખૂણામાં વાસ્તુ દોષ ઉભો થઈ શકે છે.   પછી તે કિચન હોય કે બાથરૂમ. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલા એ નિયમો વિશે બતાવીશુ જેને અપનાવીને તમે દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ બાથરૂમ સાથે જોડાયેલ એ નિયમો વિશે.. 
 
- વાસ્તુ મુજબ બાથરૂમના દરવાજાની ઠીક સામે અરીસો ન લગાવવો જોઈએ. વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- આમ તો આજના સમયમં બાથરૂમમાં જ શૌચાલય અને સ્નાનાઘર એક સાથે બનાવવાનો રિવાજ ચાલી રહ્યો છે. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ યોગ્ય નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઠીક નથી કારણ કે સ્નાનઘર ચન્દ્રમાંનો કારક છે. તો બીજી બાજુ શૌચાલયને રાહુનુ સ્થાન માનવામાં આવે છે.  જ્યારે અ બંને મળે છે તો ઘરમાં માનસિક અને ડિપ્રેશનની બીમારીઓ થઈ શકે છે પણ  છતા જો સ્નાનઘરમાં જ શૌચાલય બનાવવુ પડે તો તેને એક ખૂણામાં બનાવડાવો.  
 
વાસ્તુ મુજબ બાથરૂમમાં કમોડ ને એ રીતે બનાવવુ જોઈએ કે બેસનારાનુ મોઢુ ઉત્તર દિશાની તરફ અને પીઠ દક્ષિણ દિશાની તરફ હોવુ જોઈએ. 
 
- ગીઝર વગેરેને બાથરૂમના અગ્નિ ખૂણામાં જ મુકો. 
 
- આમ તો વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ સ્નાન ઘર અને શૌચાલય જુદા જુદા સ્થાન પર હોવા જોઈએ. પણ જો સ્થાનની કમી હોય તો તેને એક સાથે બનાવી શકો છો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

આગળનો લેખ
Show comments