સંબંધિત સમાચાર
- Vastu Tips: દિવાળી પહેલા જરૂર ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, ધન સમૃદ્ધિ સાથે ખુશીઓથી ભરાશે ઘર
- Vastu Tips: બેંક એકાઉંટ ખાલી થતા નહી લાગે વાર, આજે જ ફ્રિજ પરથી હટાવી દો આ 4 વસ્તુ
- Vastu Tips: ઘરની અંદર ક્યારેય ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય અને દરિદ્રતાનુ બને છે કારણ
- ઘરમાં ભૂલથી પણ આ 5 વસ્તુ ન મુકશો ખોટી જગ્યાએ, નહી તો ઉભી થશે મુશ્કેલી
- પાણીનું માટલું ક્યા મુકવું ? વાસ્તુ દ્વારા જાણો માટીનું ઘડો મુકવાની યોગ્ય દિશા, જે વધારશે પોઝીટીવ એનર્જી અને સારી હેલ્થ
Lucky Plants for Home: મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આ ખાસ છોડ, ઘરમાં લાવતા જ શરૂ થઈ જશે ધનનુ આગમન
lucky vastu plant
Lucky Plants for Home: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના માટે આ છોડ ખૂબ જ લકી માનવામાં આવે છે. આ છોડને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં ધન દોલતની વર્ષા થાય છે. આ સાથે જ સમગ્ર ઘરમાં સકાતાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમાંના કેટલાક ખાસ છોડને ધનની દેવી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમને યોગ્ય દિશામાં લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધશે જ, સાથે સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. તો ચાલો જાણીએ કે તે કયા ભાગ્યશાળી છોડ છે.
અપરાજિતા
વાદળી ફૂલોવાળી અપરાજિતા વેલો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. વિષ્ણુનો પ્રિય હોવાથી, વાદળી અપરાજિતા વેલો દેવી લક્ષ્મીને પણ આકર્ષે છે. જે ઘરમાં અપરાજિતાનો છોડ વાવેલો હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનું ઘર માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું જોઈએ, જેનાથી શુભ પરિણામો મળે છે.
તુલસી
હિંદુ ધર્મમાં, તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ વાવેલો હોય છે ત્યાં નકારાત્મકતા ક્યારેય ટકી રહેતી નથી. તુલસીની દૈનિક પૂજા આર્થિક મુશ્કેલીઓને અટકાવે છે. ઘરનો ભંડાર હંમેશા ધનથી ભરેલો રહે છે. તુલસીનો છોડ હંમેશા ઘરના ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા) માં લગાવો.
મની પ્લાન્ટ
એવું કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી નાણાકીય લાભ થાય છે. આ છોડ ધન આકર્ષે છે. વાસ્તુ અનુસાર, જેમ જેમ છોડ ઉપર તરફ વધે છે તેમ તેમ ઘરની સમૃદ્ધિ વધે છે. તેને ઘરના દક્ષિણ-પૂર્વ (અગ્નેય ખૂણા) માં લગાવવું ખૂબ જ શુભ છે. ઉપરાંત, ખાતરી કરો કે મની પ્લાન્ટની વેલા ક્યારેય જમીનને સ્પર્શે નહીં.
શમીનો છોડ
શનીનો છોડ શનિદેવ અને ભગવાન શિવને પ્રિય છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર શમીનો છોડ લગાવો. ઘરની બહાર નીકળતી વખતે આ છોડ તમારી જમણી બાજુ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે શમીનો છોડ લગાવવાથી વ્યવસાયમાં આવતી અડચણો દૂર થાય છે અને નફો થવા લાગે છે.
જેડ પ્લાન્ટ
ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ જેડ પ્લાન્ટ મૂકો. આ છોડ ધન પણ આકર્ષે છે. ઓફિસ ડેસ્ક પર જેડ પ્લાન્ટ રાખવાનું પણ શુભ માનવામાં આવે છે. તેને ડેસ્કની ઉત્તર બાજુએ રાખો.
વાંસનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વાંસનો છોડ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને ઘરના રહેવાસી વિસ્તારના પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકવો જોઈએ. ઘરમાં વાંસનો છોડ રાખવાથી સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે.