1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

વાસ્તુ અને ખેતી- 3

પાકની વાવણી માટેના નિયમો

વાસ્તુ અને ખેતી
P.R
* નવા પાકની વાવણી શુભ મુહુર્તમાં જ કરવી. પાકની વાવણી શનિવાર કે મંગળવારે કરો તો સારૂ રહેશે.

* પાકની વાવણી ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની કાપણી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરવી.

* ખેતરના અગ્નિ ખુણામાં એક નાનો હોમ કુંડ બનાવીને પહેલી કાપણીમાંથી થોડુક અનાજ અગ્નિમાં સ્વાહા કરવું જોઈએ. ત્યાર બાદ પાળતુ પશુઓને ખવડાવવું જોઈએ.

* પાકની કાપણી વખતે જો વચ્ચે અમાવસ આવતી હોય તો ખેતરના મધ્ય ભાગમાં પુર્વ તરફ મોઢુ રાખીને ઉભુ થઈ જવું અને નારિયેળ ફોડવું. આ નારિયેળના ટુકડાઓને ખેતરના મધ્ય ભાગમાં તેમજ ચારેય ખુણામાં મુકી દેવા અને બીજા દિવસે તેને લઈને કચરામાં ફેંકી દેવા.

સૌજન્ય : વાસ્તુ અને જ્યોતિષ
About Writer
વેબ દુનિયા