ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 5 જુલાઈ 2021 (13:39 IST)

લોહીની ઉણપથી બચાવે છે ગોળ, જાણો બાળકોને ગોળ ખવડાવવાના ફાયદા

- ગોળમાં આયરન વધારે માત્રામાં હોય છે. તેનો સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બનવામાં મદદ મળે છે. તેથી બાળકને આયરન ડેફિશિયંસી એનીલિયા થવાનો ખતરો ઓછું રહે છે. 
- તેનો સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત હોય છે. તેમજ ઘણા બાળકોને હમેશા કબ્જની ફરિયાદ રહે છે. તેથી કબ્જની સમસ્યાથી રાહત અપવવામની સાથે પાચનથી સંકળાયેલી બીજી સમસ્યાઓથી પણ બચાવી રાખે છે. 
- પોષક તત્વ, એંટી ઑક્સીડેંટસ અને ઔષધીય ગુણોથી ભરપૂર ગોળનો સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્ર હોય છે. તેથી શરદી -ખાંસી  વગેરે મોસમી રોગોથી બચાવ રહે છે. 
- એક્સપર્ટસ મુજબ દરરોજ ગોળનો એક ટુકડો ખાવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નિકળવામાં મદદ મળે છે. 
- ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર ગોળ લીવરની સફાઈ કરી તેને ચુસ્ત રાખવામાં કારગર ગણાયુ છે. 
- ગોળમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન વગેરે પોષક તત્વ હોય છે. તેથી તેનો સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. 
- તેમાં જિંક અને એંટી ઑક્સીડેંટસ હોય છે. તેથી ગોળનો સેવન કરવાથી ફ્રી રેડિકલથી કોશિકાઓને હાનિ થવાથી બચાવ રહે છે.