Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ બ્લડ પ્રેશર માટે 6 અસરકારક ઉપાય, રુદ્રાક્ષના સ્પર્શ માત્રથી પણ બ્લડ પ્રેશર ઘણી હદે ઓછુ થઈ જાય છે

મંગળવાર, 21 મે 2019 (06:42 IST)
તમારી રક્ત વાહીનીઓમાં લોહીના વહેવાનો દબાવ જુદા જુદા અંગો પર પડે છે. સામાન્ય બ્લડપ્રેશર 120/80મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધી જાય છે. એટલા માટે દરેક ત્રણથી ચાર અઠવાડિયામાં એક વખત પોતાના બ્લડપ્રેશરની તપાસ અવશ્ય કરાવડાવો. હાઈ બ્લડપ્રેશરને ઓછુ કરવા માટે નિયમિત વ્યાયામ, સંયમિત ભોજન, ઓછી માત્રામાં મીઠું, અને પેટની આજુબાજુ જામેલ વધારાની ચામડીને દૂર કરવાના પ્રયત્નોમાં સફળતા મળે છે. ધ્યાન અને મેડિટેશન વડે પણ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. માનસિક તણાવ પર નિયંત્રણ રાખવા માટે કેટલાયે પ્રકારની યૌગિક ક્રિયાઓ શીખી શકાય છે.ALSO READ: આટલુ કરશો તો વધતી વયની અસર ચહેરા પર નહી દેખાય
*રાત્રે તાંબાના વાસણમાં અઢીસો ગ્રામ જેટલુ પાણી લઈને તેમાં સાચા રુદ્રાક્ષના આઠ દાણા નાંખીને રાખી મુકો. દરરોજ સવારે તેને ઉઠતાની સાથે પીવો. આનો નિત્ય પ્રયોગ કરવાથી ત્રણ જ મહિનામાં હાઈ બ્લડ પ્રેશર ઓછુ થઈ જશે. ALSO READ: એલ્યુમીનિયનના વાસણમાં ભોજન રાંધવું નુકશાનકારી જાણો શા માટે
* રુદ્રાક્ષની માળા પણ પેહેરો કેમકે રુદ્રાક્ષના સ્પર્શ માત્રથી પણ બ્લડ પ્રેશર ઘણી હદે ઓછુ થઈ જાય છે. આ પ્રયોગ 80 ટકા હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને લાભકારી રહ્યો છે.
 
* હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે રોજ લસણની ત્રણ ચાર કળીને પાણીની સાથે લેવી જોઈએ. બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે લસણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. 
 
* અજીર્ણથી છુટકારો મેળવવા માટે સફરજન કે કેળાના જ્યુસની સાથે જાયફળનો 5 થી 15 ગ્રામ પાવડર ભેળવીને પીવો. આવું કરવાથી અજીર્ણને લીધે થતી ડાયેરિયાની ફરિયાદ દૂર થશે. 5 ગ્રામ જાયફળને આમળાના અડધા કપ તાજા રસમાં ભેળવીને પીવાથી થાક, અપચો, એટકી વગેરે આવતું હશે તે દૂર થશે. 
 

* ડાયાબિટીશના દર્દીઓએ આખી રાત સુધી આંબાના પાનને પાળીમાં પલાળીને પછી તેને સવારે સુકવી લો. ત્યાર બાદ આ પત્તાઓને એકદમ ઝીણા પીસીને તેનો પાવડર બનાવી લો. રોજ સવારે આ ચુર્ણને મધની સાથે લેવાથી ડાયાબિટીશની કંટ્રોલમાં આવી જશે.
* હાઇ બ્લડ પ્રેશર ઓછું કરવામાં દવા જેટલી જ અસરકારક વિટામિન ડીની ગોળીઓ હોઇ શકે છે. ડેનમાર્કની હોલ્સટેબ્રો હોસ્પિટલના સંશોધકોઓ હાઇ બ્લડપ્રેશરના 112 દર્દીઓને 20 અઠવાડિયા સુધી વિટામિન ડીની ગોળીઓ ખવડાવી અને જાણ્યું કે બ્લડપ્રેશર ઓછું કરનારી દવાઓ જેટલી જ આ ગોળીઓ અસરકારક છે.

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

આગળનો લેખ
Show comments