સંબંધિત સમાચાર
- ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું
- મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શાળાના 3 શિક્ષકો હાથમાં દારૂની બોટલો લઈને નશામાં નાચ્યા
- યાત્રીગણ ધ્યાન દે!!!! સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ટ્રેક કામના લીધે કેટલીક ટ્રનો રદ કરાઇ તો કેટલીક રીશેડ્યુલ, વાંચી લો યાદી
- ચીકલીગર ગેંગના કુખ્યાત આરોપીઓની કાર આવતા જ દંડાઓ લઈને ક્રાઈમબ્રાંચના 12 પોલીસકર્મી તૂટી પડ્યા, બે આરોપી ઝડપ્યા
- અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો
અમદાવાદમાં ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે બનશે 3 એલિવેટેડ ફ્લાય ઓવર
અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે કમરકસી છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.
3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર
મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.
ये भी पढ़ें
