Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપિયા લઈને કાર્યક્રમમાં હાજર નહીં રહેનાર સપના ચૌધરી સામે પોલીસ ફરિયાદ

Updated: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:29 IST)
નવરાત્રી સમયે સરથાણા કન્વેનશન હોલમાં યોજાયેલા બીફોર નવરાત્રી કાર્યક્રમમાં લાઈવ પરફોર્મન્સ માટે એડવાન્સ પેટે રૂપિયા લઈ લીધા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી કલાકારોના મેનેજરે ધમકી આપી હોવાની રાવ સુરતમાં ઉઠવા પામી છે. જેમાં અભિનેત્રી તેમજ બિગબોસ ફેમ સપના ચૌધરી સહિત ડીલ કરનારા લોકો સામે પોલીસ કમિશનર કચેરીમાં છેતરપિંડી સહિતની અરજી આપવામાં આવી છે. આ અરજી આયોજક રાજેશ જૈન દ્વારા આપવામાં આવી છે.નવરાત્રી પહેલા પ્રી-નવરાત્રી ઇવેન્ટ યોજવાનો આજકાલ ટ્રેન્ડ વધ્યો છે. આવા જ એક કાર્યક્રમનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું.  સપના પર આરોપ છે કે તેણે પૈસા લીધા બાદ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.સુરતના સરથાણા ખાતે આવેલ કન્વેન્શન હોલમાં નવરાત્રી દરમિયાન સી.આર.એન્ટરટેઇનમેન્ટના રાજેશ જૈને નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં હરિયાણાની પ્રસિદ્ધ કલાકારો સપના ચૌધરી તથા સિંગર કનિકા ચૌધરી અને દાનિશ મોહન પણ આવવાના હોવાથી તેમના મેનેજમેન્ટ થકી એડવાન્સ પેટે રૂ. 75 હજાર પણ મોકલી આપવામાં આવ્યા હતા.જોકે, કાર્યક્રમના દિવસે જ કલાકારોના નોઈડા ખાતેના મેનેજર પવન ચાવલાએ ફોન કરી કાર્યક્રમ રદ કરવાનું જણાવી ધમકી આપી હતી. આ અંગે આગામી દિવસોમાં રાજેશ જૈન સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવવાના હોવાનું જણાવ્યુ હતું.હાલ આ અંગે રાજેશ જૈને પોલીસ કમિશનર કચેરીમાં અરજી દાખલ કરી છે. જેમાં છેતરપિંડી સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments