સંબંધિત સમાચાર
- Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?
- પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ
- Sarva Pitru Amavasya 2023: સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસ, જાણો શ્રાદ્ધ કરી શકશો કે નહી
- Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય
- Sarv Pitru amavasya 2023- સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે
Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ
pitru paksha
Pitru Paksha 2023: પિતૃ પક્ષ આજથી એટલે કે બુધવાર (18 સપ્ટેમ્બર 2024)થી શરૂ થયો છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષ અને સુખ-શાંતિની પ્રાપ્તિ કરે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પાણી આપવાથી તેમના આત્માને સંતોષ અને મુક્તિ મળે છે. ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી પિતૃ પક્ષ શરૂ થાય છે જે ભાદરવા મહિનાના નવા ચંદ્રના દિવસે (2 ઓક્ટોબર 2024) સમાપ્ત થશે. તો ચાલો જાણીએ કે ઘરમાં પિતૃઓનું સ્થાન અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમને કયા સમયે જળ અર્પિત કરવુ જોઈએ.
પિતૃઓને જળ કેટલા વાગે આપવું જોઈએ?
શ્રાદ્ધ કરતી વખતે પૂર્વજોનું તર્પણ પણ કરવામાં આવે છે એટલે કે અંગૂઠા દ્વારા મૃતક પરિજનોને જલાંજલિ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓને અંગૂઠાથી જળ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર હથેળીનો જે ભાગ જ્યાં અંગૂઠો હોય છે તેને પિતૃ તીર્થ કહેવામાં આવે છે. પિતૃઓને જળ અર્પણ કરવાનો સમય સવારે 11:30 થી 12:30 સુધીનો છે. પિતૃઓને જળ અર્પણ કરતી વખતે, કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરો.
પિતૃઓને જળ કેવી રીતે આપવું જોઈએ?
તર્પણ સામગ્રી લીધા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ પછી હાથમાં પાણી, કુશ, અક્ષત, ફૂલ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો અને તેમને આમંત્રિત કરો અને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. આ પછી પૃથ્વી પર અંજલિનું પાણી 5-7 કે 11 વાર છોડો.
ઘરમા પિતરોનુ સ્થાન ક્યા હોવુ જોઈએ ?
વાસ્તુ મુજબ દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે. આવામાં પિતરોની તસ્વીર હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ. સાથે જ પિતરોનુ મોઢુ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ. બીજી બાજુ બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વજોની તસ્વીર ન લગાવવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ સ્થાન પર પૂર્વજોની તસ્વીર મુકવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ પર અસર પડે છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે ઘરમાં એકથી વધુ પૂર્વજોની તસ્વીરો ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે પૂર્વજોની તસ્વીરો ટાંગવી ન જોઈએ. તેમની તસ્વીર એક લાકડાના પાટલા પર મુકવી જોઈએ. સાથે જ ઘરના મંદિર કે રસોડામાં પણ પૂર્વજોની તસ્વીરો ન લગાવવી જોઈએ.